લોક પ્રશ્નોના ત્વરિત નિકાલ માટે પોલીસ તંત્ર દ્વારા સાયલામાં એક વિશેષ ‘અરજી મેળો’ યોજવામાં આવ્યો હતો. લીંબડી ડિવિઝનના DYSP વિશાલ રબારીની ઉપસ્થિતિમાં સાયલા અને ધજાળા પોલીસ મથકના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન થયું હતું.
આ મેળામાં કુલ 11 જેટલા અરજદારોએ પોતાની પડતર સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી, જેમાં વ્યાજખોરી, લેન્ડગ્રેબિંગ અને ગૌચર જમીન પરના દબાણો જેવા ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા.
DYSP વિશાલ રબારીએ તમામ અરજદારોને શાંતિપૂર્વક સાંભળ્યા હતા અને જે-તે પોલીસ વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશો આપ્યા હતા. ખાસ કરીને વ્યાજખોરીના મામલે તેમણે લોકોને અપીલ કરી હતી કે કોઈ પણ વ્યક્તિ હેરાનગતિનો ભોગ બને તો ડર્યા વગર પોલીસનો સંપર્ક કરે.
પોલીસ તંત્ર આવા ગુનેગારો સામે કડક હાથે કામ લેશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી. આ પહેલનો મુખ્ય હેતુ લોકોની સમસ્યાઓનું સ્થાનિક સ્તરે જ સુખદ નિરાકરણ લાવવાનો છે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…