લોક પ્રશ્નોના ત્વરિત નિકાલ માટે પોલીસ તંત્ર દ્વારા સાયલામાં એક વિશેષ ‘અરજી મેળો’ યોજવામાં આવ્યો હતો. લીંબડી ડિવિઝનના DYSP વિશાલ રબારીની ઉપસ્થિતિમાં સાયલા અને ધજાળા પોલીસ મથકના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન થયું હતું.
આ મેળામાં કુલ 11 જેટલા અરજદારોએ પોતાની પડતર સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી, જેમાં વ્યાજખોરી, લેન્ડગ્રેબિંગ અને ગૌચર જમીન પરના દબાણો જેવા ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા.
DYSP વિશાલ રબારીએ તમામ અરજદારોને શાંતિપૂર્વક સાંભળ્યા હતા અને જે-તે પોલીસ વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશો આપ્યા હતા. ખાસ કરીને વ્યાજખોરીના મામલે તેમણે લોકોને અપીલ કરી હતી કે કોઈ પણ વ્યક્તિ હેરાનગતિનો ભોગ બને તો ડર્યા વગર પોલીસનો સંપર્ક કરે.
પોલીસ તંત્ર આવા ગુનેગારો સામે કડક હાથે કામ લેશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી. આ પહેલનો મુખ્ય હેતુ લોકોની સમસ્યાઓનું સ્થાનિક સ્તરે જ સુખદ નિરાકરણ લાવવાનો છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…