હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં કુદરતનો કહેર જોવા મળ્યો છે. અચાનક વાતાવરણમાં આવેલા પલટા સાથે મિની વાવાઝોડા અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ ત્રાટકતા સમગ્ર પંથકમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જોરદાર પવનને કારણે ચોટીલા હાઈવે અને તળેટી વિસ્તારમાં હંગામી શેડ અને છાપરાં ઉડી જતાં નાના ધંધાર્થીઓને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે.
આ માવઠાએ જગતના તાતની મહેનત પર પાણી ફેરવી દીધું છે. હાલ રવિ પાકની સીઝન અંતિમ તબક્કામાં છે ત્યારે ખેતરોમાં તૈયાર થયેલા ઘઉં, જીરું અને ચણાના પાક પર વરસાદી પાણી ફરી વળ્યા છે. અનેક ખેતરોમાં કાપણી કરેલા પાકના પાથરા વિખાઈ જતાં ધાન્યની ગુણવત્તા બગડવાની અને ઉત્પાદન ઘટવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને જીરું અને એરંડા જેવા રોકડિયા પાકોમાં વ્યાપક નુકસાન થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે.
વરસાદની સાથે ફૂંકાયેલા તેજ પવનને કારણે વીજ માળખાને પણ ફટકો પડ્યો છે. અનેક વિસ્તારોમાં વીજ લાઈનોમાં ક્ષતિ સર્જાતા અંધારપટ છવાયો હતો, જેને પૂર્વવત કરવા વીજ વિભાગની ટીમો કામે લાગી છે. ખરાબ હવામાન અને હજુ પણ વરસાદની આગાહીને ધ્યાને રાખીને સાવચેતીના ભાગરૂપે તા. 20 માર્ચના રોજ ચોટીલા માર્કેટિંગ યાર્ડમાં જણસોની આવક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતો હવે સરકાર પાસે નુકસાનીનો સર્વે કરાવી યોગ્ય વળતરની આશા રાખી રહ્યા છે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…