હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં કુદરતનો કહેર જોવા મળ્યો છે. અચાનક વાતાવરણમાં આવેલા પલટા સાથે મિની વાવાઝોડા અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ ત્રાટકતા સમગ્ર પંથકમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જોરદાર પવનને કારણે ચોટીલા હાઈવે અને તળેટી વિસ્તારમાં હંગામી શેડ અને છાપરાં ઉડી જતાં નાના ધંધાર્થીઓને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે.
આ માવઠાએ જગતના તાતની મહેનત પર પાણી ફેરવી દીધું છે. હાલ રવિ પાકની સીઝન અંતિમ તબક્કામાં છે ત્યારે ખેતરોમાં તૈયાર થયેલા ઘઉં, જીરું અને ચણાના પાક પર વરસાદી પાણી ફરી વળ્યા છે. અનેક ખેતરોમાં કાપણી કરેલા પાકના પાથરા વિખાઈ જતાં ધાન્યની ગુણવત્તા બગડવાની અને ઉત્પાદન ઘટવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને જીરું અને એરંડા જેવા રોકડિયા પાકોમાં વ્યાપક નુકસાન થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે.
વરસાદની સાથે ફૂંકાયેલા તેજ પવનને કારણે વીજ માળખાને પણ ફટકો પડ્યો છે. અનેક વિસ્તારોમાં વીજ લાઈનોમાં ક્ષતિ સર્જાતા અંધારપટ છવાયો હતો, જેને પૂર્વવત કરવા વીજ વિભાગની ટીમો કામે લાગી છે. ખરાબ હવામાન અને હજુ પણ વરસાદની આગાહીને ધ્યાને રાખીને સાવચેતીના ભાગરૂપે તા. 20 માર્ચના રોજ ચોટીલા માર્કેટિંગ યાર્ડમાં જણસોની આવક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતો હવે સરકાર પાસે નુકસાનીનો સર્વે કરાવી યોગ્ય વળતરની આશા રાખી રહ્યા છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…