સુરેન્દ્રનગર LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા સાયલા તાલુકાના ધજાળા પોલીસ સ્ટેશન હેઠળ આવતા શેખડોદ ગામે જુગારધારા હેઠળ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસને મળેલી બાતમીના આધારે શેખડોદ ગામની સીમમાં, જે ‘કોટીયાના માર્ગ’ તરીકે ઓળખાય છે. ત્યાં આવેલી રવુભાઈ ખાચરની વાડીના શેઢે દરોડો પાડવામાં આવ્યો હતો. આ રેડ દરમિયાન જાહેરમાં નસીબ અજમાવતા કુલ 8 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસની આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી રોકડ રકમ 12,160 અને 5,000 ની કિંમતનો 1 મોબાઈલ ફોન મળી કુલ 17,160 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
(1) રાજદીપ ગભરૂભાઈ ખાચર રહે. શેખડોદ, (2) શકીલ હનીફ ગરાણા રહે. ધોરાજી, (3) સિકંદર ઈબ્રાહીમ ગરાણા રહે. ધોરાજી, (4) રજાક નૂર મહંમદ ઘરાણા રહે. ધોરાજી, (5) વિનુભાઈ જગાભાઈ મેટલીયા રહે.લાલાવદર જસદણ, (6) ભરતભાઈ નારાયણભાઈ મકવાણા રહે. ભોયરા વીંછીયા ઝડપાઇ ગયા હતા. જ્યારે (1) સલીમભાઈ અનવરભાઈ ગરાણા રહે જસદણ (3) હાજીભાઇ સમતભાઈ ગરાણા રહે. ધોરાજી નાસી જવામાં સફળ રહ્યા હતા. હાલ ધજાળા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…