સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં ત્રાટકેલા વાવાઝોડા અને ભારે પવનના કારણે વીજ માળખાને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) ના પ્રાથમિક અંદાજ મુજબ, આ કુદરતી આફતમાં કંપનીને 10 લાખ રૂપિયાથી વધુની આર્થિક ખોટ ગઈ છે.
વાવાઝોડાની અસરને પગલે જિલ્લાના કુલ 146 ગામોમાં વીજ સંકટ સર્જાયું હતું, જેમાંથી તંત્રએ રાત-દિવસ એક કરીને 135 ગામોમાં વીજળી પુનઃસ્થાપિત કરી દીધી છે.
ભારે પવનને કારણે ખેતીવાડી લાઈનના 54 વીજ પોલ ધરાશાયી થયા છે, જેનાથી સિંચાઈ વ્યવસ્થા પર માઠી અસર પડી છે. આ ઉપરાંત જિલ્લાના 4 મુખ્ય શહેરી વિસ્તારો પણ પ્રભાવિત થયા હતા, જોકે GEB ની ટીમોએ ત્વરિત એક્શન મોડમાં આવીને શહેરોમાં રાબેતા મુજબ પુરવઠો શરૂ કરી દીધો છે. હાલમાં હજુ 11 ગામો એવા છે જ્યાં વીજ લાઈન ઠપ્પ છે અને ત્યાં સમારકામની કામગીરી ગતિમાં છે.
જિલ્લા PGVCL હેડ એન. એન. અમીન દ્વારા સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી તમામ અધિકારીઓ અને ટેકનિકલ ટીમોને કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે. તેમણે આદેશ આપ્યો છે કે કોઈ પણ કર્મચારીએ ફરજનું સ્થળ છોડવું નહીં અને આખી રાત ફિલ્ડમાં રહીને કામગીરી ચાલુ રાખવી. તંત્રની આ તત્પરતાને કારણે બાકી રહેલા 11 ગામોમાં પણ વહેલી સવાર સુધીમાં વીજળી આવી જવાની શક્યતા સેવાઈ રહી છે. PGVCL ની આ કામગીરીની સ્થાનિક રહીશોએ પણ પ્રશંસા કરી છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…