સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં ત્રાટકેલા વાવાઝોડા અને ભારે પવનના કારણે વીજ માળખાને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) ના પ્રાથમિક અંદાજ મુજબ, આ કુદરતી આફતમાં કંપનીને 10 લાખ રૂપિયાથી વધુની આર્થિક ખોટ ગઈ છે.
વાવાઝોડાની અસરને પગલે જિલ્લાના કુલ 146 ગામોમાં વીજ સંકટ સર્જાયું હતું, જેમાંથી તંત્રએ રાત-દિવસ એક કરીને 135 ગામોમાં વીજળી પુનઃસ્થાપિત કરી દીધી છે.
ભારે પવનને કારણે ખેતીવાડી લાઈનના 54 વીજ પોલ ધરાશાયી થયા છે, જેનાથી સિંચાઈ વ્યવસ્થા પર માઠી અસર પડી છે. આ ઉપરાંત જિલ્લાના 4 મુખ્ય શહેરી વિસ્તારો પણ પ્રભાવિત થયા હતા, જોકે GEB ની ટીમોએ ત્વરિત એક્શન મોડમાં આવીને શહેરોમાં રાબેતા મુજબ પુરવઠો શરૂ કરી દીધો છે. હાલમાં હજુ 11 ગામો એવા છે જ્યાં વીજ લાઈન ઠપ્પ છે અને ત્યાં સમારકામની કામગીરી ગતિમાં છે.
જિલ્લા PGVCL હેડ એન. એન. અમીન દ્વારા સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી તમામ અધિકારીઓ અને ટેકનિકલ ટીમોને કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે. તેમણે આદેશ આપ્યો છે કે કોઈ પણ કર્મચારીએ ફરજનું સ્થળ છોડવું નહીં અને આખી રાત ફિલ્ડમાં રહીને કામગીરી ચાલુ રાખવી. તંત્રની આ તત્પરતાને કારણે બાકી રહેલા 11 ગામોમાં પણ વહેલી સવાર સુધીમાં વીજળી આવી જવાની શક્યતા સેવાઈ રહી છે. PGVCL ની આ કામગીરીની સ્થાનિક રહીશોએ પણ પ્રશંસા કરી છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…