લીંબડી તાલુકાના રાણાગઢ ગામે કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) હેઠળ એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં કુલ 20 જેટલા લાભાર્થી માછીમારોને આઈસ પેટી (Ice Box) સાથેની બાઈકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રમિકોને આધુનિક સાધનો પૂરા પાડી તેમને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે.
આઈસ પેટી ધરાવતી આ ખાસ બાઈક દ્વારા માછીમારો પકડેલી માછલીઓને બગડતી અટકાવી શકશે અને ઝડપથી બજાર સુધી પહોંચાડી શકશે, જેનાથી માછલીઓની ગુણવત્તા જળવાઈ રહેશે અને માછીમારોની આવકમાં પણ વધારો થશે.
આ પ્રસંગે રાણાગઢ ગ્રામ પંચાયતના સરપંચ રામભાઈ, ઉપસરપંચ રામભાઈ અને નાનીકઠેચીના પૂર્વ સરપંચ વાલજીભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. યોજનાનો લાભ મેળવનાર સ્થાનિક શ્રમિકોએ સરકારની આ કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…