Surendranagar

નર્મદા વિભાગની બેદરકારી: કેનાલો બંધ કરવાની ખોટી સૂચનાથી સુરેન્દ્રનગરના ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર ન કરી શક્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા વિભાગની ગંભીર બેદરકારી સામે આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માર્ચ મહિનામાં કેનાલો રિપેરિંગ માટે બંધ કરવામાં આવશે તેવી અધિકારીઓની વારંવારની ટકોર અને સૂચનાઓને કારણે ખેડૂતોએ ચાલુ વર્ષે ઉનાળુ પાકનું વાવેતર કરવાનું ટાળ્યું હતું.

તંત્ર દ્વારા ખેડૂતોને સ્પષ્ટ જણાવાયું હતું કે માર્ચ પછી સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ નહીં થાય. જોકે, વાસ્તવિકતા એ છે કે હાલમાં એપ્રિલ મહિનો હોવા છતાં નર્મદાની તમામ કેનાલો ચાલુ છે અને તેમાં પાણી બે કાંઠે વહી રહ્યું છે, પરંતુ વાવેતરની સીઝન વીતી ગઈ હોવાથી હવે ખેડૂતો માટે વાવણી શક્ય નથી.

ખેતીવાડી વિભાગના આંકડા મુજબ, જિલ્લાની 6 લાખ હેક્ટર વાવેતર લાયક જમીન પૈકી માત્ર 32,000 હેક્ટર જમીનમાં જ ઉનાળુ પાકનું વાવેતર થયું છે. અધિકારીઓના ખોટા દાવા અને સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમોથી અપાયેલી ગેરમાર્ગે દોરતી માહિતીને લીધે લાખો હેક્ટર જમીન પડતર રહી ગઈ છે.

ખેડૂતોનો આક્ષેપ છે કે ચૂંટણીના માહોલમાં ખેડૂતોને રાજી રાખવા માટે કેનાલો ચાલુ રાખવામાં આવી છે, પરંતુ જો આ નિર્ણય વહેલો લેવાયો હોત તો ખેડૂતોને આર્થિક નુકસાન સહન ન કરવું પડત. સિંચાઈની સુવિધા હોવા છતાં તંત્રની અસ્પષ્ટ નીતિને કારણે ખેડૂતોને ચાલુ વર્ષે ઉનાળુ પાકની મોટી ખોટ ખાવાનો વારો આવ્યો છે. રિપેરિંગના નામે ખેડૂતોને ગુમરાહ કરનાર અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ ઉઠી છે.

user 2

Recent Posts

કોઠારીયા ધામમાં ભાગવત કથાને લઇ પ્રેસ કોન્ફરન્સ

વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…

2 days ago

સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…

2 days ago

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…

2 days ago

સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ

સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…

2 days ago

પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ

ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…

2 days ago

સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…

2 days ago