સુરેન્દ્રનગર જિલ્લાના મુળી થી ટીકર જતા મુખ્ય માર્ગ પર આવેલું રેલવે ફાટક વાહનચાલકો અને સ્થાનિક ખેડૂતો માટે મોટી સમસ્યા બની ગયું છે.
આ માર્ગ પરથી રાજકોટ, જામનગર અને દ્વારકા તરફ જતી અનેક પેસેન્જર તથા માલગાડીઓ પસાર થાય છે, જેના કારણે દિવસમાં 10 થી વધુ વખત ફાટક બંધ કરવું પડે છે.
નવાઈની વાત એ છે કે ટ્રેન આવવાના 15 મિનિટ પહેલા જ ફાટક બંધ કરી દેવામાં આવતા વાહનોની લાંબી કતારો લાગે છે અને ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાય છે.
મુળી તાલુકાના સડલા, દુધઈ, સરા અને ગઢડા જેવા ગામોના ખેડૂતો જ્યારે પોતાની જણસ લઈને સુરેન્દ્રનગર કે રાજકોટ માર્કેટિંગ યાર્ડ જાય છે, ત્યારે આ ફાટક પર કલાકો સુધી અટવાઈ રહેવું પડે છે. સરા જેવા મોટા યાત્રાધામ તરફ જતા હજારો શ્રદ્ધાળુઓ અને એસટી બસોને પણ આ વિલંબ નડે છે.
સ્થાનિકો અને વાહનચાલકો દ્વારા લાંબા સમયથી અહીં ઓવરબ્રિજ અથવા અંડરબ્રિજ બનાવવાની માંગ કરવામાં આવી રહી છે. જો રેલવે વિભાગ દ્વારા વહેલી તકે આ અંગે નિર્ણય લેવામાં આવે, તો જ આ ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે.
વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…
સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…
ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…
ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…