મુળી તાલુકાના સરા અને વીરપર ચોકડી વચ્ચે એક સીએનજી (CNG) રીક્ષા અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ટક્કરમાં વનરાજભાઈ ઉઘરેજીયા નામના વ્યક્તિને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે મુળી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.
જોકે, ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વનરાજભાઈની હાલત વધુ નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
અકસ્માતને કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને વાહન વ્યવહાર પૂર્વવત કરાવી અકસ્માત અંગે કાયદેસરની તપાસ હાથ ધરી હતી.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…