Muli

મુળીના કળમાદમાં 108ની ટીમે એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાવી માતા-બાળકનો જીવ બચાવ્યો

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાંથી 108 ઇમરજન્સી સેવાની પ્રશંસનીય કામગીરી સામે આવી છે. મૂળીના કળમાદ વાડી વિસ્તારમાં રહેતી 21 વર્ષીય સગર્ભા મહિલા કવિતાબેનને સવારના સમયે અચાનક પ્રસૂતિની અસહ્ય પીડા ઉપડી હતી.

પ્રથમ પ્રસૂતિ હોવાના કારણે પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. અને તેમણે તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાનો સંપર્ક કર્યો હતો. ફોન મળતાની સાથે જ કોંઢ 108 ની ટીમ ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

એમ્બ્યુલન્સના પાયલોટ વિપુલભાઈ અને EMT સુરેશ ચૌધરીએ મહિલાની ગંભીર સ્થિતિ જોઈને હોસ્પિટલ પહોંચવાનો સમય ન હોવાનું પારખી લીધું હતું. તેમણે સમયસૂચકતા અને કુશળતા વાપરીને સવારે 5.05 કલાકે એમ્બ્યુલન્સની અંદર જ મહિલાની સફળ ડિલિવરી કરાવી હતી.

પ્રસૂતિ બાદ માતા અને નવજાત બાળક બંનેને જરૂરી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. અને ત્યારબાદ વધુ દેખરેખ માટે સુરક્ષિત રીતે મૂળી CHC (સરકારી હોસ્પિટલ) ખાતે ખસેડાયા હતા. 108 ની ટીમની આ ત્વરિત અને સચોટ કામગીરીને કારણે માતા અને બાળક બંનેનો જીવ બચી જતા પરિવારજનોએ ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

User 3

Recent Posts

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…

2 weeks ago

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…

2 weeks ago

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…

2 weeks ago

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…

2 weeks ago

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…

2 weeks ago

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…

2 weeks ago