Limbdi

અમદાવાદ-રાજકોટ હાઇવે પર અકસ્માત: જાખણ પાસે બંધ ટ્રક પાછળ 108 એમ્બ્યુલન્સ ઘૂસી, બે ઈજાગ્રસ્ત

અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. લીંબડી તાલુકાના જાખણ ગામના પાટિયા પાસે હાઈવે પર ઉભેલી એક બંધ ટ્રક પાછળ પાણશીણા વિસ્તારની 108 એમ્બ્યુલન્સ ધડાકાભેર ઘૂસી ગઈ હતી.

આ અકસ્માત એટલો જોરદાર હતો કે, એમ્બ્યુલન્સના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સદ્દનસીબે અકસ્માત સમયે એમ્બ્યુલન્સમાં કોઈ દર્દી સવાર ન હોવાને કારણે મોટી જાનહાનિ ટળી હતી.

આ દુર્ઘટનામાં એમ્બ્યુલન્સના પાયલોટ (ડ્રાઇવર) સહિત ગાડીમાં સવાર 2 વ્યક્તિઓને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ બંને ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સમાંથી બહાર કાઢીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

અકસ્માતના પગલે હાઈવે પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. અને ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. અને અકસ્માતગ્રસ્ત વાહનોને રોડની બાજુ પર ખસેડીને વાહનવ્યવહાર ફરી પૂર્વવત કરાવ્યો હતો.

User 3

Recent Posts

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…

2 weeks ago

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…

2 weeks ago

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…

2 weeks ago

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…

2 weeks ago

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…

2 weeks ago

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…

2 weeks ago