સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામે પાવરગ્રીડ કંપનીની કામગીરી સામે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આગામી સમયમાં તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં વીજપોલ (થાંભલા) ઊભા કરવા અને હાઈટેન્શન વીજ વાયર નાખવાની કામગીરી શરૂ થવાની છે. આ કામો શરૂ થાય તે પહેલા જ ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે કોંઢ ગામે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો એકત્રિત થયા હતા અને કંપની સામે આરપારની લડાઈ લડવાનો નિર્ણય કર્યો હતો.
આ બેઠક દરમિયાન ખેડૂતોએ અલગ-અલગ 12 મુખ્ય મુદ્દાઓની માંગણીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. ખેડૂતોની મુખ્ય માંગ છે કે, વીજ લાઈન પસાર થવાને કારણે નુકસાન પામતી જમીનનું યોગ્ય અને પૂરતું વળતર આપવામાં આવે, અસરગ્રસ્ત ખેડૂતોને દર મહિને ફિક્સ માસિક ભાડું ચૂકવવામાં આવે, અગાઉ જાહેર કરાયેલા ખેડૂત વિરોધી તમામ પરિપત્રો તાત્કાલિક રદ કરવામાં આવે, તેમજ ખાનગી કંપનીઓને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતું પોલીસ પ્રોટેક્શન બંધ કરવામાં આવે. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે, પાવરગ્રીડ કંપનીના કામોથી ખેતીલાયક જમીનને કાયમી નુકસાન થશે. છતાં તેમના પ્રશ્નોને નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે. આ અન્યાય સામે આગામી દિવસોમાં સરકાર અને કંપની વિરૂદ્ધ ઉગ્ર આંદોલનાત્મક કાર્યક્રમો આપવા અને તમામ ખેડૂતોને એકજૂટ થઈ લડત આપવા આહવાન કરાયું છે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…