Surendranagar

મૂળી ભોગાવો નદીના પુલના પિલરોમાં સળિયા દેખાવા છતાં તંત્ર ટેન્ડર પ્રક્રિયામાં અટવાયું, મુસાફરોના જીવ જોખમમાં

સુરેન્દ્રનગર જિલ્લામાં નદીઓ પરના પુલોની હાલત દયનીય બની છે, જેમાં મૂળી તાલુકાની ભોગાવો નદી પરનો પુલ હવે અત્યંત જર્જરિત થઈ ગયો છે. સરા, થાનગઢ અને વાંકાનેર તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલો આ પુલ પાયામાંથી ડેમેજ થયો છે અને તેના પિલરોમાં લોખંડના સળિયા દેખાવા લાગ્યા છે. પુલના ઉપરના ભાગેથી સિમેન્ટના પોપડા ઉખડી રહ્યા હોવા છતાં, હજારો વાહનચાલકો આ જોખમી પુલ પરથી પસાર થવા મજબૂર બન્યા છે. હાલમાં નદી પાણીથી ભરેલી હોવાથી જો કોઈ દુર્ઘટના સર્જાય તો મોટી જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી છે.

આ ગંભીર સમસ્યા અંગે તંત્રના અધિકારીઓનું કહેવું છે કે નવા પુલના નિર્માણ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, પરંતુ કોઈ કોન્ટ્રાક્ટર ટેન્ડર ભરી રહ્યા ન હોવાથી કામગીરી અટકી પડી છે. બીજી તરફ, આ પુલ પરથી દરરોજ એસટી બસો, ખાનગી લક્ઝરીઓ, વિદ્યાર્થીઓ ભરેલા વાહનો અને ખેડૂતોના માલવાહક ટ્રેક્ટરો પસાર થઈ રહ્યા છે. સ્થાનિક રહીશોની માંગ છે કે તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોયા વગર તાકીદે જાગે અને આ જર્જરિત પુલના નવીનીકરણનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરે.

user 2

Recent Posts

કોઠારીયા ધામમાં ભાગવત કથાને લઇ પ્રેસ કોન્ફરન્સ

વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…

2 days ago

સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…

2 days ago

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…

2 days ago

સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ

સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…

2 days ago

પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ

ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…

2 days ago

સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…

2 days ago