Surendranagar

ચોટીલામાં ચૂંટણી પહેલા કોંગ્રેસ-AAPમાં મોટું ગાબડું: અનેક સરપંચો અને કાર્યકરો ભાજપમાં જોડાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે ત્યારે ચોટીલા તાલુકામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. એપ્રિલ 2026 માં યોજાનારી મહાનગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓ પહેલા જ વિરોધ પક્ષના મજબૂત ગણાતા સરપંચો અને આગેવાનોએ કેસરિયો ધારણ કર્યો છે. આ પક્ષપલટાને કારણે સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે અને ભાજપનું પલ્લું ભારે દેખાઈ રહ્યું છે. વિગતો મુજબ, કુંઢડા ગામના સરપંચ ભોળાભાઈ રાઠોડ અને મોટા કાંધાસરના સરપંચ વિરમભાઈ સોળમિયા સહિતના કોંગ્રેસી આગેવાનોએ ભાજપનો છેડો પકડ્યો છે. આ સાથે જ આમ આદમી પાર્ટીના આગેવાન અને કાબરણ ગામના સરપંચ રત્નાભાઈ ડાભીએ પણ પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં પ્રવેશ કર્યો છે. ચોટીલા તાલુકા ભાજપ મહામંત્રી રાજુભાઈ ખાચર અને અન્ય હોદ્દેદારોએ આ તમામ નવા સભ્યોને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. ચૂંટણી પહેલા જ થયેલા આ મોટા ફેરબદલથી વિપક્ષની સ્થિતિ નબળી પડી હોવાનું મનાય છે.
user 2

Recent Posts

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…

2 weeks ago

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…

2 weeks ago

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…

2 weeks ago

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…

2 weeks ago

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…

2 weeks ago

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…

2 weeks ago