દસાડા તાલુકાના ખારાઘોડા ગામમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) શાખાની બેદરકારીને કારણે ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા મહિનાઓથી બેંકનું પાસબુક પ્રિન્ટર મશીન બંધ હાલતમાં હોવાથી ખાતેદારો પોતાની એન્ટ્રી કરાવી શકતા નથી.
જ્યારે ગ્રાહકો આ અંગે રજૂઆત કરે છે, ત્યારે બેંક મેનેજર અને સ્ટાફ દ્વારા માત્ર આશ્વાસન આપીને ગલ્લાતલ્લા કરવામાં આવે છે. આ સુવિધાના અભાવે ખાસ કરીને અભણ અને શ્રમિક વર્ગના લોકોને નાણાકીય વ્યવહાર જાણવામાં મોટી મુશ્કેલી પડી રહી છે.
બેંકમાં માત્ર પ્રિન્ટર જ નહીં, પરંતુ અન્ય સેવાઓમાં પણ ભારે વિલંબ જોવા મળે છે. બાળકોના બેંક ખાતા અન્ય સ્કીમમાં તબદિલ કરવામાં મહિનાઓનો સમય લગાડવામાં આવે છે. આ ઉપરાંત, સિનિયર સિટીઝન અને અશિક્ષિત ગ્રાહકો માટે ફોર્મ ભરી આપવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી તેમને કલાકો સુધી બેસી રહેવું પડે છે. ખારાઘોડા વિસ્તારમાં મોટાભાગે મીઠાના અગરિયા અને શ્રમિકો વસવાટ કરે છે, જેમના સમય અને મજૂરીનો આ ગેરવ્યવસ્થાને કારણે ભોગ લેવાઈ રહ્યો છે. અગાઉ પણ આ શાખા સામે અનેક ફરિયાદો ઉઠી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…