દસાડા તાલુકાના ખારાઘોડા ગામમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) શાખાની બેદરકારીને કારણે ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા મહિનાઓથી બેંકનું પાસબુક પ્રિન્ટર મશીન બંધ હાલતમાં હોવાથી ખાતેદારો પોતાની એન્ટ્રી કરાવી શકતા નથી.
જ્યારે ગ્રાહકો આ અંગે રજૂઆત કરે છે, ત્યારે બેંક મેનેજર અને સ્ટાફ દ્વારા માત્ર આશ્વાસન આપીને ગલ્લાતલ્લા કરવામાં આવે છે. આ સુવિધાના અભાવે ખાસ કરીને અભણ અને શ્રમિક વર્ગના લોકોને નાણાકીય વ્યવહાર જાણવામાં મોટી મુશ્કેલી પડી રહી છે.
બેંકમાં માત્ર પ્રિન્ટર જ નહીં, પરંતુ અન્ય સેવાઓમાં પણ ભારે વિલંબ જોવા મળે છે. બાળકોના બેંક ખાતા અન્ય સ્કીમમાં તબદિલ કરવામાં મહિનાઓનો સમય લગાડવામાં આવે છે. આ ઉપરાંત, સિનિયર સિટીઝન અને અશિક્ષિત ગ્રાહકો માટે ફોર્મ ભરી આપવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી તેમને કલાકો સુધી બેસી રહેવું પડે છે. ખારાઘોડા વિસ્તારમાં મોટાભાગે મીઠાના અગરિયા અને શ્રમિકો વસવાટ કરે છે, જેમના સમય અને મજૂરીનો આ ગેરવ્યવસ્થાને કારણે ભોગ લેવાઈ રહ્યો છે. અગાઉ પણ આ શાખા સામે અનેક ફરિયાદો ઉઠી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…