સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના આસુન્દ્રાળી ગામમાં ગેરકાયદેસર ખનિજ ચોરીના કેસમાં વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.
ભવાનીગઢ ગામના ઉપસરપંચ રતાભાઈ વીરાભાઈ જોગરાણાને ખનિજ ચોરીમાં સંડોવણી બદલ તાત્કાલિક અસરથી તેમના પદ પરથી દૂર કરવાનો આદેશ જિલ્લા વિકાસ અધિકારી (DDO) દ્વારા જારી કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલો 8 ઓગસ્ટ, 2025 ના રોજ સામે આવ્યો હતો, જ્યારે ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ આસુન્દ્રાળી ગામમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન સરકારી સર્વે નંબર 246 અને ખાનગી સર્વે નંબર 249 માંથી ગેરકાયદેસર કાર્બોસેલ (કોલસો) નું ખનન અને વેચાણ થતું હોવાનું પકડાયું હતું. વહીવટી તંત્રએ સ્થળ પરથી 1 ટ્રેક્ટર, 2 કમ્પ્રેસર અને 40 મેટ્રિક ટન કોલસો સહિત કુલ 11,00,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ગેરકાયદેસર પ્રવૃત્તિમાં પદનો દુરુપયોગ કરવા બદલ નાયબ કલેક્ટરની દરખાસ્તને આધારે સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારીએ ઉપસરપંચને હોદ્દા પરથી હટાવવાનો આદેશ આપ્યો છે.
સુરેન્દ્રનગર જનરલ હોસ્પિટલ ખાતે અત્યાધુનિક મોનિટરિંગ અને વેન્ટિલેશન સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. ગુજરાત સરકારના…
સુરેન્દ્રનગરની જાણીતી સવા આયુષ હોસ્પિટલે આરોગ્ય ક્ષેત્રે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. અત્યાર સુધી…
લીંબડી તાલુકાના રળોલ ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યાના કાયમી નિરાકરણ માટે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય…
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…