Subscribe for notification
Categories: Surendranagar

મુળીના આસુન્દ્રાળીમાં ગેરકાયદે ખનન બદલ ભવાનીગઢના ઉપસરપંચ પદભ્રષ્ટ

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના આસુન્દ્રાળી ગામમાં ગેરકાયદેસર ખનિજ ચોરીના કેસમાં વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.

ભવાનીગઢ ગામના ઉપસરપંચ રતાભાઈ વીરાભાઈ જોગરાણાને ખનિજ ચોરીમાં સંડોવણી બદલ તાત્કાલિક અસરથી તેમના પદ પરથી દૂર કરવાનો આદેશ જિલ્લા વિકાસ અધિકારી (DDO) દ્વારા જારી કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલો 8 ઓગસ્ટ, 2025 ના રોજ સામે આવ્યો હતો, જ્યારે ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ આસુન્દ્રાળી ગામમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન સરકારી સર્વે નંબર 246 અને ખાનગી સર્વે નંબર 249 માંથી ગેરકાયદેસર કાર્બોસેલ (કોલસો) નું ખનન અને વેચાણ થતું હોવાનું પકડાયું હતું. વહીવટી તંત્રએ સ્થળ પરથી 1 ટ્રેક્ટર, 2 કમ્પ્રેસર અને 40 મેટ્રિક ટન કોલસો સહિત કુલ 11,00,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ગેરકાયદેસર પ્રવૃત્તિમાં પદનો દુરુપયોગ કરવા બદલ નાયબ કલેક્ટરની દરખાસ્તને આધારે સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારીએ ઉપસરપંચને હોદ્દા પરથી હટાવવાનો આદેશ આપ્યો છે.

user 2

Recent Posts

સુરેન્દ્રનગર હોસ્પિટલમાં મોનિટરિંગ-વેન્ટિલેશન સિસ્ટમ કાર્યરત, જટિલ સર્જરીઓ વધુ સુરક્ષિત બનશે

સુરેન્દ્રનગર જનરલ હોસ્પિટલ ખાતે અત્યાધુનિક મોનિટરિંગ અને વેન્ટિલેશન સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. ગુજરાત સરકારના…

4 hours ago

સુરેન્દ્રનગરની સવા આયુષ હોસ્પિટલમાં અત્યાધુનિક રોબોટિક સર્જરીનો પ્રારંભ

સુરેન્દ્રનગરની જાણીતી સવા આયુષ હોસ્પિટલે આરોગ્ય ક્ષેત્રે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. અત્યાર સુધી…

5 hours ago

લીંબડીના રળોલ ગામે 12.40 લાખ લીટર ક્ષમતા ધરાવતા સમ્પનું ખાતમુહૂર્ત

લીંબડી તાલુકાના રળોલ ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યાના કાયમી નિરાકરણ માટે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય…

1 day ago

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…

2 days ago

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…

2 days ago

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…

2 days ago