લીંબડી તાલુકાના રળોલ ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યાના કાયમી નિરાકરણ માટે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નર્મદા યોજનાની S2-S3 પાઈપ લાઈન હેઠળ રળોલ ગામે 12.40 લાખ લીટરની વિશાળ ક્ષમતા ધરાવતા ભૂગર્ભ સમ્પનું પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ સાકાર થવાથી ગામના વર્ષો જૂના પાણીના પ્રશ્નોનો કાયમી ઉકેલ આવશે.
આ આધુનિક સમ્પનું નિર્માણ 44 લાખથી વધુના ખર્ચે કરવામાં આવશે અને તેનું કામ અંદાજે 4 માસમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ પ્રસંગે APMC પ્રમુખ અજીતસિંહ ટાંક અને હરપાલસિંહ રાણા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે રળોલ ગામની 10,000 થી વધુની વસ્તીને આ સુવિધાનો સીધો લાભ મળશે, જેનાથી ખાસ કરીને સ્થાનિક મહિલાઓને પાણી માટે પડતી હાલાકી દૂર થશે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…