લીંબડી તાલુકાના રળોલ ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યાના કાયમી નિરાકરણ માટે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નર્મદા યોજનાની S2-S3 પાઈપ લાઈન હેઠળ રળોલ ગામે 12.40 લાખ લીટરની વિશાળ ક્ષમતા ધરાવતા ભૂગર્ભ સમ્પનું પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ સાકાર થવાથી ગામના વર્ષો જૂના પાણીના પ્રશ્નોનો કાયમી ઉકેલ આવશે.
આ આધુનિક સમ્પનું નિર્માણ 44 લાખથી વધુના ખર્ચે કરવામાં આવશે અને તેનું કામ અંદાજે 4 માસમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ પ્રસંગે APMC પ્રમુખ અજીતસિંહ ટાંક અને હરપાલસિંહ રાણા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે રળોલ ગામની 10,000 થી વધુની વસ્તીને આ સુવિધાનો સીધો લાભ મળશે, જેનાથી ખાસ કરીને સ્થાનિક મહિલાઓને પાણી માટે પડતી હાલાકી દૂર થશે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…