Categories: Surendranagar

સુરેન્દ્રનગર હોસ્પિટલમાં મોનિટરિંગ-વેન્ટિલેશન સિસ્ટમ કાર્યરત, જટિલ સર્જરીઓ વધુ સુરક્ષિત બનશે

સુરેન્દ્રનગર જનરલ હોસ્પિટલ ખાતે અત્યાધુનિક મોનિટરિંગ અને વેન્ટિલેશન સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના પ્રયાસોના ભાગરૂપે આ સુવિધાથી હવે જટિલ સર્જરીઓ વધુ સુરક્ષિત બનશે અને ગંભીર દર્દીઓને ઘરઆંગણે જ ઉત્તમ સારવાર મળી રહેશે.

હોસ્પિટલના એનેસ્થેશિયોલોજી વિભાગને ‘રોગી કલ્યાણ સમિતિ’ના સહયોગથી ‘હાઈ-એન્ડ એનેસ્થેશિયા વર્કસ્ટેશન’ અર્પણ કરાયું છે. આ મશીન કાર્યરત થવાથી ઓપરેશન દરમિયાન દર્દીને અપાતી એનેસ્થેશિયાની પ્રક્રિયા અત્યંત ચોક્કસ અને સલામત બનશે. આધુનિક ડ્રગ ડિલિવરી સિસ્ટમ દ્વારા દવાનો ડોઝ સચોટ રીતે આપી શકાશે, જેનાથી સર્જરી દરમિયાન જોખમમાં નોંધપાત્ર ઘટાડો થશે.

આ વર્કસ્ટેશનમાં ફેફસાના ગંભીર રોગોથી પીડાતા અને લાંબી સર્જરી કરાવતા દર્દીઓ માટે અદ્યતન ‘વેન્ટિલેશન મોડ્સ’ ઉપલબ્ધ છે. તે હૃદયના ધબકારા, બ્લડ પ્રેશર અને શરીરમાં ઓક્સિજનના સ્તર જેવી મહત્વપૂર્ણ વિગતોનું સેકન્ડ-ટુ-સેકન્ડ મોનિટરિંગ કરશે. જો આ માપદંડોમાં કોઈ ફેરફાર જણાશે, તો સિસ્ટમ તુરંત જ તબીબોને સતર્ક કરશે, જે દર્દીના જીવના જોખમને ટાળવામાં મદદરૂપ થશે.

આ નવી ટેકનોલોજી ખાસ કરીને હૃદયરોગ, શ્વસન સંબંધી તકલીફો ધરાવતા અથવા વૃદ્ધાવસ્થાના કારણે જોખમી ગણાતી સર્જરીઓને સુરક્ષિત બનાવશે. આ સુવિધાને કારણે સુરેન્દ્રનગરના ગંભીર દર્દીઓને સારવાર માટે અમદાવાદ કે અન્ય મોટા શહેરોમાં જવાની જરૂરિયાત રહેશે નહીં, જેનાથી સમય અને ખર્ચ બંનેની બચત થશે.

જાહેર આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવાના આ પ્રયાસને સુરેન્દ્રનગર પંથકમાં આવકાર મળ્યો છે. આ સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ રોગી કલ્યાણ સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર કે.એસ. યાજ્ઞિક, વઢવાણના ધારાસભ્ય અને નાયબ દંડક જગદીશભાઈ મકવાણા, સિવિલ સર્જન ડૉ. ચૈતન્ય પરમાર તથા તેમની ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

user 2

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

6 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago