લીંબડીના તળાવ મહોલ્લામાં રહેતા મોહિત રફીકભાઈ મુલતાનીએ વ્યાજખોર ભગીરથ રાણા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
1 વર્ષ પહેલા માતાની હોસ્પિટલની સારવાર માટે મોહિતે 5 ટકાના માસિક વ્યાજે 1,00,000 રૂપિયા ઉધાર લીધા હતા. શરૂઆતના 6 મહિનામાં 30,000 રૂપિયા વ્યાજ ચૂકવ્યા બાદ આર્થિક તંગીને કારણે તે વ્યાજ ભરી શક્યો નહોતો.
વ્યાજખોર ભગીરથ રાણાએ મોહિતના પિતાની દુકાન ખાલી કરાવી દેવાની અને મોહિતના ટાંટિયા ભાંગી નાખવાની ગંભીર ધમકીઓ આપી માનસિક ત્રાસ ગુજાર્યો હતો. આ ત્રાસથી કંટાળીને યુવાન રાજકોટ જતો રહ્યો હતો. અંતે, કંટાળેલા પરિવારે હિંમત દાખવી લીંબડી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરતા પોલીસે વ્યાજખોર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…