થાન તાલુકાના સોનગઢ ગામની સીમમાં દીપડાએ ફરી એકવાર કહેર વર્તાવ્યો છે. વહેલી સવારે દીપડાએ 2 વાછરડા પર હુમલો કરતા 1 વાછરડાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 1 વાછરડાને ગંભીર ઈજાઓ પહોંચી છે.
ઇજાગ્રસ્ત પશુને સારવાર માટે તાત્કાલિક સ્થાનિક પશુ ડોક્ટર પાસે ખસેડવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે ગ્રામજનો અને પશુપાલકોમાં વન વિભાગ પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે. આરોપ છે કે વન વિભાગને જાણ કરવા છતાં અધિકારીઓ મોડા પહોંચ્યા હતા.
થાન પંથકમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાનો ભય વધી ગયો છે. અગાઉ 30મી તારીખે જામવાડીમાં એક ગાયનું મારણ થયું હતું, જ્યારે થોડા દિવસ પહેલા સોનગઢમાં જ 8 પશુઓનો શિકાર દીપડાએ કર્યો હતો. અત્યાર સુધીમાં અંદાજે 10થી વધુ પશુઓના મોત થયા હોવા છતાં વન વિભાગ દ્વારા હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
સ્થાનિકોએ માગ કરી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક પાંજરું ગોઠવી દીપડાને પકડવામાં આવે અને પશુપાલકોને થયેલા નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે.
વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…
સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…
ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…
ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…