ધ્રાંગધ્રામાં વ્યાજખોરોના ત્રાસના કારણે એક યુવકે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના મફતિયાપરા વિસ્તારમાં રહેતા કિશોરભાઈ ખીમાભાઇ કણઝરીયાએ આર્થિક તંગીના કારણે અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી 10% વ્યાજે નાણાં લીધા હતા.
ફરિયાદીએ રણછોડભાઈ ભરવાડ પાસેથી 1.30 લાખ, મેરાભાઈ ભરવાડ પાસેથી 4 લાખ, કલ્પેશભાઈ મેવાડા પાસેથી 3.50 લાખ, રમેશભાઈ ગમારા પાસેથી 1.50 લાખ, નિમુબેન કોળી પાસેથી 3 લાખ અને મહેશભાઈ ચૌહાણ પાસેથી 5 લાખ રૂપિયા લીધા હતા.
યુવકે આ તમામ વ્યાજખોરોને મૂડી કરતા પણ વધુ રકમ વ્યાજ પેટે ચૂકવી દીધી હોવા છતાં, આરોપીઓ દ્વારા સતત પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. આ શખ્સો અવારનવાર જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાથી કંટાળીને યુવકે પોતાની રિક્ષામાં ઝેરી દવા પી લીધી હતી. હાલ યુવક સારવાર હેઠળ છે અને તેની ફરિયાદના આધારે ધ્રાંગધ્રા સિટી પોલીસે એક મહિલા સહિત 6 વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…