Subscribe for notification
Categories: Dhrangadhra

ધાંગધ્રા પંથકમાં વાવાઝોડા સાથે માવઠુંએ તારાજી સર્જી, ઊભો પાક જમીનદોસ્ત થયો

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં કુદરતનો કહેર જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, બુધવારે મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવતા ધાંગધ્રા પંથકમાં મિની વાવાઝોડું ત્રાટક્યું હતું.

ભારે પવન અને ગાજવીજ સાથે ખાબકેલા કમોસમી વરસાદે ખેડૂતોની આખી સીઝનની મહેનત પર પાણી ફેરવી દીધું છે. તોફાની પવનના કારણે ખેતરોમાં લણણીના આરે ઉભેલો પાક જમીનદોસ્ત થઈ ગયો છે, જેનાથી જગતનો તાત આર્થિક પાયમાલીના આરે આવીને ઊભો રહ્યો છે. 19 માર્ચ 2026 ના રોજ વહેલી સવારથી જ ખેતરોમાં નુકસાનીના વરવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

ખાસ કરીને રવિ પાકના અંતિમ તબક્કામાં જ આ કુદરતી આફત આવી પડતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. જીરું, વરિયાળી અને ઘઉં જેવા કિંમતી પાકો ખેતરમાં જ ઢળી પડતા ગુણવત્તા બગડવાની અને ઉત્પાદન ઘટવાની ભીતિ સેવાઈ રહી છે. ધાંગધ્રાના સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, થોડા જ કલાકના પવન અને વરસાદે લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે. ખેતી પાકની સાથે અનેક જગ્યાએ ખેતરના શેડ અને ઝાડ પણ ધરાશાયી થયા છે.

આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ ધાંગધ્રા તાલુકાના ખેડૂતોમાં ભારે નિરાશા ફેલાઈ છે. ખેડૂત સંગઠનો અને સ્થાનિક ખેડૂતોએ સરકાર સમક્ષ તાત્કાલિક અસરથી નુકસાનીનો સર્વે કરવાની માંગ કરી છે. ખેડૂતોનું કહેવું છે કે જો સરકાર વહેલી તકે વળતર જાહેર નહીં કરે તો દેવાના બોજ હેઠળ દબાયેલા ખેડૂતોની હાલત વધુ કફોડી બનશે. માર્ચ મહિનામાં આવેલા આ અચાનક માવઠાએ ધાંગધ્રાના કૃષિ અર્થતંત્રને મોટો ફટકો માર્યો છે, ત્યારે હવે સૌની મીટ સરકાર દ્વારા જાહેર કરવામાં આવનાર સહાય પેકેજ પર મંડાયેલી છે.

user 2

Recent Posts

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…

7 hours ago

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…

12 hours ago

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…

12 hours ago

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…

12 hours ago

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…

12 hours ago

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…

12 hours ago