Surendranagar

સુરેન્દ્રનગર મનપામાં 31 માર્ચ સુધી રજાના દિવસોમાં પણ વેરાની વસૂલાત કરાશે

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2025-26 ના અંતિમ દિવસોમાં વેરા વસૂલાતની કામગીરીને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આગામી 31 માર્ચ, 2026 સુધી તમામ શનિ-રવિ અને જાહેર રજાના દિવસો દરમિયાન પણ મહાનગરપાલિકાના વેરા વસૂલાત કેન્દ્રો કાર્યરત રહેશે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરીજનોને પોતાના બાકી મિલકત વેરો, વ્યવસાય વેરો અને પાણી વેરો ભરવામાં સરળતા રહે તેવો છે. રજાના દિવસોમાં પણ સવારે 10:30 થી સાંજે 5:00 કલાક સુધી તમામ ઝોનલ કચેરીઓ પર વેરો સ્વીકારવામાં આવશે. શહેરીજનો સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ઉપરાંત ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન અને જોરાવરનગર લાઈબ્રેરી ખાતે આવેલા કેન્દ્રો પર જઈને વેરો ભરી શકશે. જે નાગરિકો કચેરીએ રૂબરૂ જઈ શકતા નથી, તેમના માટે ઓનલાઈન સુવિધા પણ ઉપલબ્ધ છે. https://app.snmcgujarat.com પોર્ટલ પરથી કોઈપણ સમયે ઘરે બેઠા ઓનલાઈન વેરો ભરપાઈ કરી શકાશે. મહાનગરપાલિકા દ્વારા આ બાબતે ખાસ તાકીદ કરવામાં આવી છે કે જેથી છેલ્લી ઘડીની ભીડથી બચી શકાય. તંત્ર દ્વારા આ વખતે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. જો 31 માર્ચ 2026 સુધીમાં બાકી લેણાંની ભરપાઈ કરવામાં નહીં આવે, તો સંબંધિત મિલકત ધારકો સામે સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એટલું જ નહીં, બાકીદારોના પાણી અને ગટરના કનેક્શન પણ કાપી નાખવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે. મનપાના ડેપ્યુટી કમિશનર દ્વારા તમામ કર્મચારીઓની રજાઓ રદ કરી વેરા વસૂલાતની કામગીરીમાં જોતરવામાં આવ્યા છે. શહેરીજનોને અપીલ છે કે કાયદેસરની કડક કાર્યવાહીથી બચવા માટે સમયસર પોતાના વેરા ભરીને શહેરના વિકાસમાં સહભાગી બને.

user 2

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

6 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

6 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago