Subscribe for notification
Categories: Dhrangadhra

ધ્રાંગધ્રાના જસાપરમાં  ગૌચર જમીન પર ભૂમાફિયાઓનો કબજો યથાવત્

સ્થાનિક તંત્રએ સરકારી કાગળ પર સુધારો કરી સંતોષ માન્યો રાજકીય વગ ધરાવતા ભૂમાફિયાઓ સામે સ્થાનિક તંત્રના ઇરાદાપૂર્વક ઢીલી નીતિ રાખતું હોવાની ચર્ર્ચા

ધ્રાંગધ્રા તાલુકાના જસાપર ગામે નર્મદા કેનાલને અડીને આવેલી કરોડોની કિંમતની ગૌચર જમીન પચાવી પાડવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. ભેચડા રોડ પર સર્વે નંબર ૩૬૨ની આ જમીનને અગાઉ ભૂમાફિયાઓએ મેલી મુરાદ સાથે ખાનગી માલિકીના ૭/૧૨ના ઉતારામાં ચડાવી દીધી હતી.

રજૂઆત બાદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યએ આ જમીનને ખાનગી નામેથી હટાવી ફરી ગૌચર જાહેર કરી હતી. જોકે, આ સુધારો માત્ર સરકારી ચોપડે જ સીમિત રહ્યો છે, કારણ કે સ્થળ પર હજુ પણ ગેરકાયદેસર કબજો યથાવત છે અને ત્યાં વાવેતર પણ કરવામાં આવ્યું છે.

સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે કે આ જમીન પર કબજો જમાવનાર શખ્સો રાજકીય વગ ધરાવે છે, જેના કારણે તાલુકા પંચાયત કે તલાટી મંત્રી દબાણ હટાવવાની હિંમત કરી રહ્યા નથી. નિયમ મુજબ ગૌચરની જમીન ખુલ્લી કરાવવાની જવાબદારી સ્થાનિક તંત્રની છે, પરંતુ અહીં ઈરાદાપૂર્વક ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી હોય તેવું જણાય છે. કૌભાંડ ઉજાગર થયાના એક વર્ષ બાદ પણ ભૂમાફિયાઓ બેખોફ જમીનનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે હવે તંત્ર આ કિંમતી જમીન ક્યારે મુક્ત કરાવશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.

user 2

Recent Posts

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…

2 days ago

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…

2 days ago

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…

2 days ago

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…

2 days ago

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…

2 days ago

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…

2 days ago