Dhrangadhra

ધ્રાંગધ્રામાં વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોનો PGVCL કચેરીએ હલ્લાબોલ: આંદોલનની ચીમકી

ધ્રાંગધ્રાના બાવળી ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં છેલ્લા 1 અઠવાડિયાથી વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ગત સપ્તાહે આવેલા મીની વાવાઝોડાને કારણે વીજ પોલ અને લાઈનોમાં સર્જાયેલી ખામી હજુ સુધી સુધારવામાં આવી નથી. પિયત માટે વીજળી ન મળતા રોષે ભરાયેલા ખેડૂતો મોટી સંખ્યામાં PGVCL કચેરીએ ઉમટી પડ્યા હતા અને ઉગ્ર હલ્લાબોલ કર્યો હતો.

અગાઉ અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા માત્ર આશ્વાસન જ મળતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. PGVCLના અધિકારીઓએ આગામી શુક્રવાર બપોર સુધીમાં વીજ પુરવઠો પૂર્વવત કરવાની હૈયાધારણા આપી છે. જો કે, ખેડૂતોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો નિયત સમયમાં વીજળી શરૂ નહીં થાય તો તેઓ રેલી કાઢી જલદ આંદોલન કરશે.

user 2

Recent Posts

કોઠારીયા ધામમાં ભાગવત કથાને લઇ પ્રેસ કોન્ફરન્સ

વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…

2 days ago

સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…

2 days ago

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…

2 days ago

સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ

સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…

2 days ago

પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ

ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…

2 days ago

સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…

2 days ago