સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ખમીસાણા ગામનો સમાવેશ થયા બાદ સ્થાનિક વિચરતી અને વિમુક્ત જાતિના દેવીપૂજક સમુદાયના પરિવારો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સરકાર દ્વારા ફાળવવામાં આવેલા 100 ચોરસ વારના પ્લોટ પર આ પરિવારોએ પંડિત દીનદયાળ આવાસ યોજના હેઠળ મકાન નિર્માણ કર્યું છે. યોજનાના 1 અને 2 હપ્તા મળી ગયા છે, પરંતુ મકાન પૂર્ણ થયા બાદ ત્રીજા હપ્તાની રકમ મેળવવા માટે ‘કમ્પ્લીશન સર્ટિફિકેટ’ અનિવાર્ય છે.
વહીવટી ગુંચવણને કારણે તાલુકા પંચાયત આ પ્રમાણપત્ર આપવાની ના પાડી રહી છે, જ્યારે મહાનગરપાલિકા કચેરી આ જવાબદારી પંચાયતની હોવાનું જણાવી રહી છે. બંને કચેરીઓના ધક્કા ખાતા 20 થી વધુ પરિવારો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. આ મામલે વિચરતા સમુદાય સમર્થન મંચના હર્ષદ વ્યાસ દ્વારા જિલ્લા કલેક્ટર અને મનપા કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જો વહેલી તકે નિરાકરણ નહીં આવે તો જરૂરિયાતમંદ પરિવારો સરકારી સહાયથી વંચિત રહી જશે તેવી ભીતિ સેવાઈ રહી છે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…