Subscribe for notification
Categories: Dhrangadhra

ધાંગધ્રા જમીન છેતરપિંડી કેસ: કોર્ટે મામલાને સિવિલ મેટર ગણાવી ત્રણેય આરોપીઓના રિમાન્ડ ફગાવ્યા

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં જમીનના દસ્તાવેજમાં છેતરપિંડી કરવાના ચકચારી પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. ધાંગધ્રાના કુંભારપરા વિસ્તારમાં રહેતા પ્રેમજીભાઈ લકુમ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ બાદ પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી.

આ કેસની વિગત મુજબ, ફરિયાદીએ આર્થિક મદદ માટે 06 લાખ રૂપિયા લીધા હતા, જેની સામે આરોપીઓએ છેતરપિંડી આચરી જમીનનો 25% હિસ્સો પોતાના નામે કરાવી લીધો હોવાનો આક્ષેપ હતો. આ મામલે પોલીસે સંજય સરૈયા, ચંદ્રેશ ગોલતર અને સુરેશ રાતડિયાની અટકાયત કરી તેમને નામદાર કોર્ટમાં રજૂ કર્યા હતા.

ધાંગધ્રા સીટી પોલીસે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કાયદાકીય દલીલો બાદ ધ્રાંગધ્રા કોર્ટે આ પ્રકરણમાં મહત્વનું અવલોકન કર્યું હતું. કોર્ટે નોંધ્યું હતું કે, જમીનનો દસ્તાવેજ સત્તાવાર રીતે રજિસ્ટ્રાર સમક્ષ થયો હોવાથી આ મામલો પ્રથમ દ્રષ્ટિએ ફોજદારી છેતરપિંડીને બદલે ‘સિવિલ મેટર’ (દીવાની પ્રકારનો કેસ) જણાય છે. કોર્ટના આ અવલોકન સાથે જ ત્રણેય આરોપીઓના રિમાન્ડ નામંજૂર કરવામાં આવ્યા હતા અને તેમને જેલ હવાલે કરવાનો આદેશ કરાયો હતો.

આ કેસમાં કુલ 4 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો, જેમાં દસ્તાવેજ કરનાર અને સાક્ષી તરીકે સહી કરનાર વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે. પોલીસ વિભાગ હવે આ મામલે સિવિલ પાસાઓની પણ તપાસ કરી રહ્યો છે. કોર્ટના આ નિર્ણયથી જમીન મિલકતના વિવાદોમાં પોલીસ અને સિવિલ કોર્ટની કાર્યક્ષેત્રની મર્યાદાઓ અંગે સ્થાનિક સ્તરે મોટી ચર્ચા જાગી છે. હાલમાં ત્રણેય શખ્સો જેલના સળિયા પાછળ છે અને કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે. 19 માર્ચ 2026 ના રોજ આવેલા આ કોર્ટના ચુકાદાએ પોલીસની તપાસ પદ્ધતિ અને જમીનના સોદામાં કાયદાકીય ગૂંચવણોને ફરી સપાટી પર લાવી દીધી છે.

user 2

Recent Posts

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…

4 hours ago

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…

9 hours ago

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…

9 hours ago

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…

9 hours ago

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…

9 hours ago

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…

9 hours ago