સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં ગત મોડી રાત્રે વાતાવરણમાં આવેલા અચાનક પલટા (Climate Change) અને ભારે પવન (Strong Winds) સાથેના માવઠાએ જગતના તાતની ચિંતામાં વધારો કર્યો છે. વઢવાણ તાલુકામાં વાવાઝોડા (Cyclonic Storm) જેવી સ્થિતિ સર્જાતા જીરું, વરિયાળી, ઘઉં અને ચણા જેવા તૈયાર પાકોને ભારે નુકસાન (Crop Damage) પહોંચ્યું છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, પવન એટલો તેજ હતો કે ખેતરમાં કાપીને રાખેલા ચણાના પાથરા એક ખેતરેથી બીજા ખેતરે ઉડી ગયા હતા.
આ કુદરતી આફતને પગલે વઢવાણ માર્કેટિંગ યાર્ડ (Wadhwan Marketing Yard) દ્વારા સાવચેતીના પગલે ટેકાના ભાવે (Support Price) થતી તુવેરની ખરીદી હાલ પૂરતી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. યાર્ડના સેક્રેટરી રાજુભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે, ખેડૂતોની જણસ સુરક્ષિત રહે તે માટે ઘઉં અને શાકભાજીની હરાજી શેડ (Shed) નીચે કરવા સૂચના અપાઈ છે. તૈયાર પાક લણણીના સમયે જ વરસાદ અને પવન આવતા ખેડૂતો હવે સરકાર પાસે નુકસાનીના સર્વે (Survey) અને વળતરની માંગ કરી રહ્યા છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…