ધ્રાંગધ્રાના નરશીપરા વિસ્તારમાં પાઉંભાજીની લારી ચલાવતા દંપતી પર હુમલો કરી લૂંટ ચલાવનારા બે મુખ્ય આરોપીઓના કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ગત 3 માર્ચના રોજ ચાર શખ્સોએ પચાસ હજારની ખંડણી માંગી દંપતી પર ધારિયા વડે હુમલો કર્યો હતો અને સોનાનું મંગળસૂત્ર તથા રોકડ મળી કુલ 1 લાખની લૂંટ ચલાવી હતી.
આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપી સંજય ચૌહાણ અને અંકિત રાવળને શનિવારે પોલીસ ઘટનાસ્થળે લઈ ગઈ હતી, જ્યાં સમગ્ર ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. પોલીસે બંને આરોપીઓને કાયદાનું ભાન કરાવી કોર્ટમાં રજૂ કર્યા હતા. તપાસની પ્રક્રિયાને આગળ વધારવા અને લૂંટાયેલા મુદ્દામાલની વધુ વસૂલાત માટે કોર્ટે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ફરાર અન્ય સાગરીતોની ધરપકડ બાદ હવે પોલીસ લૂંટના આ કેસમાં વધુ ઊંડી તપાસ હાથ ધરી રહી છે.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…