Subscribe for notification
Categories: Chuda

વ્યાજખોરનો ત્રાસ: ચુડાના કોરડા ગામે 2 લાખના બદલામાં 6 લાખની ઉઘરાણી અને મારી નાખવાની ધમકી

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કોરડા ગામે વ્યાજખોરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મકાન કામના કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા મનસુખભાઈ પાલાભાઈ મકવાણાએ પોતાના ધંધા માટે 1 માર્ચ 2024 ના રોજ ગામના જ મનુભાઈ જીવાભાઈ ખાચર પાસેથી 3 ટકાના વ્યાજે 2 લાખ રૂપિયા ઉધાર લીધા હતા. એક વર્ષ સુધી નિયમિત વ્યાજ ચૂકવ્યા બાદ, વ્યાજખોરે લાલચમાં આવી વ્યાજનો દર વધારીને 5 ટકા કરી નાખ્યો હતો.

પીડિત યુવાને અત્યાર સુધીમાં 2 લાખની સામે 1,92,000 રૂપિયા જેટલી માતબર રકમ વ્યાજ પેટે ચૂકવી દીધી છે. આમ છતાં, આરોપી મનુભાઈએ મૂળ રકમ અને વ્યાજ ગણીને કુલ 6 લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. એટલું જ નહીં, વ્યાજખોરે યુવાનને પોતાનું ઘર ખાલી કરી દેવા અને જો રૂપિયા ન આપે તો જાનથી મારી નાખવાની ગંભીર ધમકીઓ આપી હતી.

વ્યાજખોરના સતત માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળીને અંતે મનસુખભાઈએ હિંમત ભેગી કરી ચુડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વ્યાજખોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત સરકારના વ્યાજખોરો વિરુદ્ધના અભિયાન છતાં ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ આવા કિસ્સાઓ ચિંતાનો વિષય બન્યા છે.

user 2

Recent Posts

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…

5 hours ago

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…

10 hours ago

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…

10 hours ago

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…

11 hours ago

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…

11 hours ago

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…

11 hours ago