સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સબ ડિવિઝન હેઠળ આવતા ચોટીલા, મુળી અને થાનગઢ તાલુકાના સર્વાંગી વિકાસ માટે એ.ટી.વી.ટી. (ATVT) કાર્યવાહક સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી.
નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના અધ્યક્ષ સ્થાને અને ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં કુલ 9.50 કરોડ રૂપિયાના વિકાસલક્ષી કામોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ આયોજન અંતર્ગત ચોટીલા તાલુકાને 4 કરોડ, થાનગઢને 3.25 કરોડ અને મુળી તાલુકાને 2.25 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ બજેટનો ઉપયોગ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં લાઈબ્રેરી, ભોજન શેડ, પેવર બ્લોક, સી.સી. રોડ, પ્રોટેક્શન વોલ અને ભૂગર્ભ ગટર જેવા પાયાની સુવિધાઓના કામો માટે કરવામાં આવશે.
બેઠક દરમિયાન ધારાસભ્ય અને નાયબ કલેક્ટરે તમામ કામો પારદર્શી રીતે અને ઉચ્ચ ગુણવત્તા સાથે પૂર્ણ કરવા માટે કડક સૂચનાઓ આપી હતી. ‘વાયબ્રન્ટ તાલુકો’ અભિગમ હેઠળ તૈયાર કરાયેલા આ પ્લાનનો મુખ્ય હેતુ છેવાડાના ગામડાઓ સુધી શિક્ષણ, આરોગ્ય અને પીવાના પાણીની સુવિધાઓ પહોંચાડી તાલુકા પ્રોફાઈલના ગેપને પૂરવાનો છે.
વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…
સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…
ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…
ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…