Chotila

વિરમગામ-સુરેન્દ્રનગર હાઇવે પર ચોટીલા દર્શનાર્થે જતા પદયાત્રીઓનું ઘોડાપુર

સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચૈત્રી પૂનમનો મહિમા અનેરો છે. આગામી ચૈત્રી પૂનમે મા ચામુંડાના દર્શન કરવા અને ધજા ચડાવવા માટે હાલ ગુજરાતભરમાંથી માઈભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે.

ખાસ કરીને વિરમગામ, લખતર અને સુરેન્દ્રનગર હાઈવે પર છેલ્લા 2 દિવસથી પદયાત્રીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ગાંધીનગર, અમદાવાદ, સાણંદ, મહેસાણા અને કડી-કલોલ જેવા વિસ્તારોમાંથી હજારો શ્રદ્ધાળુઓ પગપાળા ચોટીલા જવા રવાના થયા છે.

ઝાલાવાડના રસ્તાઓ હાલ ‘ચામુંડા માત કી જય’ના નાદથી ગુંજી ઉઠ્યા છે. પદયાત્રીઓની સુવિધા માટે લખતર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર-ઠેર સેવા કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે. વિઠ્ઠલગઢ, છારદ, ઓળક, કડુ અને ગેથળા હનુમાન મંદિર જેવા સ્થળોએ સેવાભાવી ગૃપો દ્વારા પદયાત્રીઓ માટે જમવા, નાસ્તો, ચા-પાણી અને આરામની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે. કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને સેવા કેમ્પોમાં ઠંડા તરબૂચ, આઈસ્ક્રીમ, લસ્સી અને શેરડીના રસ જેવી વિશેષ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાઈ છે. આ ઉનાળાના ધોમધખતા તાપમાં નાના બાળકોથી લઈને વૃદ્ધો પણ અત્યંત ઉત્સાહ સાથે પદયાત્રા કરી રહ્યા છે. સેવા કેમ્પોમાં ભક્તો માટે દવાઓ અને મોબાઈલ ચાર્જિંગ જેવી પાયાની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. પદયાત્રીઓએ સેવાભાવી સંસ્થાઓની આ કામગીરીને બિરદાવી છે. સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર ગણાતા લખતર પંથકમાં હાલ ભક્તિમય માહોલ છવાયો છે અને માઈભક્તોની અતૂટ શ્રદ્ધાના દર્શન થઈ રહ્યા છે.

user 2

Recent Posts

કોઠારીયા ધામમાં ભાગવત કથાને લઇ પ્રેસ કોન્ફરન્સ

વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…

2 days ago

સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…

2 days ago

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…

2 days ago

સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ

સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…

2 days ago

પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ

ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…

2 days ago

સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…

2 days ago