સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના બજાણા રેલ્વે ફાટક પાસે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં એક પુરપાટ ઝડપે આવી રહેલા ડમ્પર અને એસ.ટી. (ST) બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.
આ અકસ્માત એટલો પ્રચંડ હતો કે બંને વાહનોના આગળના ભાગનો કુરચો બોલી ગયો હતો. અકસ્માતમાં એસ.ટી. બસના ચાલક અને ડમ્પર ચાલક બંનેને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ એસ.ટી. બસ 31 માર્ચ 2026 ના રોજ યોજાનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે ફાળવવામાં આવી હતી. બસ કાર્યક્રમના સ્થળ પર પૂર્વ તૈયારી રૂપે જઈ રહી હતી તે દરમિયાન બજાણા ફાટક પાસે આ દુર્ઘટના ઘટી હતી. સદનસીબે, અકસ્માત સમયે બસમાં કોઈ મુસાફરો સવાર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે, જે એક રાહતના સમાચાર છે.
અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને વાહનોની લાંબી કતારો લાગતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને ક્રેઈનની મદદથી વાહનોને હટાવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. હાલમાં દસાડા પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વડાપ્રધાનના કાર્યક્રમ પહેલા જ સરકારી બસને નડેલા અકસ્માતે વહીવટી તંત્રમાં પણ દોડધામ મચાવી દીધી છે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…