સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના બજાણા રેલ્વે ફાટક પાસે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં એક પુરપાટ ઝડપે આવી રહેલા ડમ્પર અને એસ.ટી. (ST) બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.
આ અકસ્માત એટલો પ્રચંડ હતો કે બંને વાહનોના આગળના ભાગનો કુરચો બોલી ગયો હતો. અકસ્માતમાં એસ.ટી. બસના ચાલક અને ડમ્પર ચાલક બંનેને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ એસ.ટી. બસ 31 માર્ચ 2026 ના રોજ યોજાનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે ફાળવવામાં આવી હતી. બસ કાર્યક્રમના સ્થળ પર પૂર્વ તૈયારી રૂપે જઈ રહી હતી તે દરમિયાન બજાણા ફાટક પાસે આ દુર્ઘટના ઘટી હતી. સદનસીબે, અકસ્માત સમયે બસમાં કોઈ મુસાફરો સવાર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે, જે એક રાહતના સમાચાર છે.
અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને વાહનોની લાંબી કતારો લાગતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને ક્રેઈનની મદદથી વાહનોને હટાવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. હાલમાં દસાડા પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વડાપ્રધાનના કાર્યક્રમ પહેલા જ સરકારી બસને નડેલા અકસ્માતે વહીવટી તંત્રમાં પણ દોડધામ મચાવી દીધી છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…