સુરેન્દ્રનગર જિલ્લાની ચોટીલા નગરપાલિકામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની ટર્મ પૂર્ણ થતા હવે વહીવટદાર શાસન અમલી બન્યું છે. ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર હરેશ મકવાણાએ વહીવટદાર તરીકેનો પદભાર સંભાળી લીધો છે.
ચાર્જ સંભાળતાની સાથે જ તેમણે નગરપાલિકાના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે સ્પષ્ટ સૂચના આપી હતી કે નાગરિકોને પાયાની સુવિધાઓ જેવી કે સ્વચ્છતા, પાણી પુરવઠો અને માર્ગ વ્યવસ્થા બાબતે કોઈ પણ ફરિયાદ મળવી જોઈએ નહીં.
વહીવટદારે પ્રથમ તબક્કામાં નગરપાલિકા દ્વારા ચાલી રહેલા તમામ વિકાસના કામોની વિગતવાર યાદી મંગાવી છે અને કામગીરીની સમીક્ષા શરૂ કરી છે. તેમણે જણાવ્યું હતું કે સરકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિક સુધી પારદર્શક રીતે પહોંચવો જોઈએ.
વહીવટમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે ગેરવહીવટ ચલાવી લેવામાં આવશે નહીં તેવી કડક તાકીદ પણ કરવામાં આવી છે. હરેશ મકવાણાએ જાહેર સેવાઓને વધુ અસરકારક બનાવવા અને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો. અધિકારીઓને નાગરિક સુવિધાઓમાં સુધારો કરવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડી કામગીરીને વેગ આપવા જણાવ્યું છે.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…