ચોટીલાના ગુંદા ગામે ભાડાના મકાનમાં ક્લિનિક ચલાવી લોકોના જીવ જોખમમાં મૂકતા એક બોગસ ડોક્ટરને આણંદપુર પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપેલા બોગસ ડોક્ટરોના નેટવર્કને ડામવા આણંદપુર પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ગુંદા ગામે રાજુભાઈ દુલાલભાઈ ગોલદર નામનો શખ્સ ડિગ્રી વગર ક્લિનિક ચલાવી રહ્યો છે. પોલીસે દરોડો પાડી તપાસ કરતા સામે આવ્યું કે આ શખ્સ પાસે કોઈ પણ માન્ય તબીબી પ્રમાણપત્ર નથી, છતાં તે છેલ્લા 13 વર્ષથી એલોપેથી સારવાર આપી રહ્યો હતો.
પોલીસે ક્લિનિકમાંથી રૂ.3026ની કિંમતની એલોપેથી દવાઓ અને તબીબી સાધનોનો જથ્થો કબજે કર્યોે છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ શખ્સ ગ્રામજનોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યો હતો. હાલ પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…
સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…
ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…
ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…