Chotila

ચોટીલામાં ચૈત્રી પૂનમે લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માં ચામુંડાના દર્શન કર્યા

સુરેન્દ્રનગર જિલ્લાના વિખ્યાત યાત્રાધામ ચોટીલા ખાતે ચૈત્રી પૂનમના પવિત્ર અવસરે ભક્તોનું કીડીયારું ઉભરાયું હતું. માં ચામુંડાના દર્શન કરવા માટે સમગ્ર ગુજરાતમાંથી, ખાસ કરીને ઉત્તર ગુજરાત, કડી અને બનાસકાંઠાથી શ્રદ્ધાળુઓ પગપાળા રથ અને ધજા સાથે ઉમટી પડ્યા હતા.

છેલ્લા 24 કલાકમાં અંદાજે 3 લાખથી વધુ ભક્તોએ ડુંગર ચઢી માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા રાત્રે 1:30 વાગ્યે જ દર્શન માટે દ્વાર ખોલી દેવામાં આવ્યા હતા.

ડુંગર પર ચઢવા માટે પગથિયાં પર ભીડ એટલી વધી ગઈ હતી કે શ્રદ્ધાળુઓએ ડુંગરની બાજુમાં આવેલી ખાલી જગ્યાનો ઉપયોગ કરીને ઉપર પહોંચવું પડ્યું હતું. મંદિર ટ્રસ્ટ દ્વારા પીવાના પાણી, પ્રસાદ અને સુરક્ષા માટે સ્વયંસેવકોની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.

પોલીસ વિભાગ, હોમગાર્ડ અને GRD જવાનોએ ખડેપગે રહી ટ્રાફિક અને ભીડનું નિયંત્રણ કર્યું હતું, જ્યારે CCTV કેમેરા દ્વારા સમગ્ર પરિસર પર બાજ નજર રાખવામાં આવી હતી. આ ધાર્મિક ઉત્સવને કારણે સ્થાનિક વેપારીઓ, પ્રસાદીના સ્ટોલધારકો અને ટ્રાન્સપોર્ટ વ્યવસાયમાં ભારે તેજી જોવા મળી હતી. એસટી નિગમ દ્વારા પણ વધારાની બસો દોડાવવામાં આવી હતી, જે તમામ હાઉસફુલ જોવા મળી હતી. ચૈત્રી નવરાત્રીની પૂર્ણાહુતિ અને પૂનમના દિવસે ચોટીલા ડુંગર ‘જય ચામુંડા’ ના નાદથી ગુંજી ઉઠ્યો હતો.

user 2

Recent Posts

કોઠારીયા ધામમાં ભાગવત કથાને લઇ પ્રેસ કોન્ફરન્સ

વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…

1 day ago

સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…

1 day ago

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…

1 day ago

સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ

સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…

1 day ago

પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ

ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…

1 day ago

સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…

1 day ago