Surendranagar

વઢવાણની ગેબનશા પીર દરગાહમાં હિન્દુ પદયાત્રીઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરાઈ

સુરેન્દ્રનગરના વઢવાણમાં મુસ્લિમ સિપાઈ સમાજ દ્વારા કોમી એકતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. કડીના ખાત્રજથી પગપાળા સંઘ લઈને ચોટીલા ચામુંડા માતાજીના દર્શને જઈ રહેલા 100 થી વધુ પદયાત્રીઓ માટે વઢવાણની ગેબનશા પીર દરગાહના દ્વાર ખોલી દેવામાં આવ્યા હતા.

રસ્તામાં રહેવા કે જમવાની પૂરતી સગવડ ન હોવાથી સંઘના સંચાલકોએ મુસ્લિમ સમાજના આગેવાનોનો સંપર્ક કર્યો હતો, જેના પ્રતિસાદરૂપે સિપાઈ સમાજે દરગાહનું આખું કમ્પાઉન્ડ અને વાડી પદયાત્રીઓ માટે ખાલી કરી આપી હતી.

આ કેમ્પમાં યાત્રિકો માટે માત્ર રહેવા અને આરામની જ નહીં, પરંતુ પૌષ્ટિક ભોજન અને જરૂરી મેડિકલ સુવિધાઓ પણ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી હતી. મુસ્લિમ સમાજના આ ઉમદા કાર્યથી પ્રભાવિત થઈને પદયાત્રીઓએ તેમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. સમાજના આગેવાનોએ નિર્ણય લીધો છે કે આગામી સમયમાં પણ ચોટીલા તરફ જતા તમામ પદયાત્રી સંઘો માટે ગેબનશા પીર દરગાહનું કેમ્પસ ખુલ્લું રહેશે.

વઢવાણના આ કિસ્સાએ સાબિત કર્યું છે કે માનવતા અને ભાઈચારો કોઈપણ ધર્મથી ઉપર છે. સોશિયલ મીડિયામાં પણ આ ભગીરથ કાર્યની સરાહના થઈ રહી છે અને ઝાલાવાડની અખંડિતતાનો સંદેશ દેશભરમાં ગુંજી રહ્યો છે.

user 2

Recent Posts

કોઠારીયા ધામમાં ભાગવત કથાને લઇ પ્રેસ કોન્ફરન્સ

વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…

2 days ago

સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…

2 days ago

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…

2 days ago

સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ

સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…

2 days ago

પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ

ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…

2 days ago

સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…

2 days ago