Dhrangadhra

PM મોદીએ ‘મન કી બાત’માં ધ્રાંગધ્રાના ભરાડા ગામના પાયલબેન મુંજપરાના સેવાકાર્યની લીધી નોંધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’માં આ વખતે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામની દીકરી પાયલબેન મુંજપરા ચમક્યા છે. પાયલબેન ‘સેવા’ સંસ્થા સાથે જોડાઈને સોલાર ફિટિંગ કમ હેલ્પર તરીકેની વિશેષ તાલીમ લીધા બાદ પીએમ સૂર્ય ઘર યોજનામાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓ ઘરે-ઘરે જઈને લોકોને સૌર ઊર્જાના ફાયદા સમજાવે છે અને સોલાર પેનલ ફિટિંગનું કામ કરીને આર્થિક રીતે સ્વનિર્ભર બન્યા છે.

વડાપ્રધાને પાયલબેનના આ ઉત્કૃષ્ટ કાર્યની સરાહના કરતા જણાવ્યું હતું કે, પાયલબેન માત્ર પોતે જ રોજગારી નથી મેળવી રહ્યા, પરંતુ અન્ય મહિલાઓને પણ તાલીમ આપીને સ્વનિર્ભર બનવા પ્રેરિત કરી રહ્યા છે. રવિવારે પ્રસારિત થયેલા કાર્યક્રમમાં પાયલબેનના સંઘર્ષ અને સફળતાની ગાથા દેશભરના શ્રોતાઓ સુધી પહોંચી હતી.

કેન્દ્ર સરકારની સોલાર યોજનાને જન-જન સુધી પહોંચાડવામાં પાયલબેન જેવી મહિલાઓનો ફાળો મહત્વનો છે. આ ગૌરવશાળી સિદ્ધિ બદલ ભરાડા ગામ સહિત સમગ્ર ઝાલાવાડમાં હર્ષની લાગણી ફેલાઈ છે. પીએમ મોદીએ અન્ય મહિલાઓને પણ સરકારી યોજનાઓનો લાભ લઈ આત્મનિર્ભર બનવા આહવાન કર્યું હતું.

user 2

Recent Posts

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…

2 weeks ago

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…

2 weeks ago

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…

2 weeks ago

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…

2 weeks ago

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…

2 weeks ago

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…

2 weeks ago