થાનગઢ શહેરના મધ્ય ભાગમાં આવેલી અને રાજાશાહી સમયનું ઐતિહાસિક મહત્વ ધરાવતી જૂની ફોરેસ્ટ ઓફિસ હાલ તંત્રની ઘોર ઉપેક્ષાનો શિકાર બની છે.
લાંબા સમયથી જાળવણીના અભાવે આ ઓફિસના બારી-બારણા તૂટી ગયા છે અને મુખ્ય દરવાજો ગાયબ થતા આ સ્થળ અસામાજિક તત્વો અને ગંદકીનું કેન્દ્ર બની ગયું છે. આ પરિસ્થિતિને કારણે આસપાસના રહીશોની સલામતી સામે મોટો ખતરો ઊભો થયો છે અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, દરવાજો ન હોવાથી લોકો અહીં કચરો અને મૃત પશુઓ ફેંકી જાય છે, જેના કારણે ગંદકી અને રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં વન વિભાગ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.
જોકે, આરએફઓ રાજાનીએ ખાતરી આપી છે કે ટૂંક સમયમાં જ આ જર્જરિત ઓફિસની સફાઈ કરાવીને મુખ્ય દરવાજાને તાળું મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેથી વિસ્તારની સુરક્ષા જળવાઈ રહે.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…