સુરેન્દ્રનગર વન વિભાગ દ્વારા વન્યજીવોના શિકાર વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. થાન તાલુકાના ચોરવીરા અનામત વીડીના સર્વે નંબર 570માં પેટ્રોલિંગ દરમિયાન વન વિભાગની ટીમે દલસુખભાઇ મનજીભાઇ માથાસુરીયા નામના શખ્સને પ્રતિબંધિત ‘સાંઢા’ વન્યજીવનો શિકાર કરતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો.
આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી કબૂલાત સામે આવી છે કે તે સાંઢાનો શિકાર કરી તેમાંથી તેલ કાઢીને તેનું વેચાણ કરતો હતો અને તેના માંસનો વ્યક્તિગત વપરાશ કરતો હતો. વન વિભાગે આરોપી પાસેથી 1 જીવંત સાંઢો, શિકાર માટેના સાધનો, એક બાઈક અને રોકડ મળી કુલ ₹2,32,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી વિરુદ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં ગુનાની ગંભીરતા જોઈ કોર્ટે આરોપીના જામીન નાંજૂર કર્યા છે.
