Surendranagar

સુરેન્દ્રનગર: ખરીફ સીઝન પૂર્વે બિયારણ-ખાતરની ખરીદીમાં ‘પાકું બિલ’ લેવા ખેડૂતોને ખેતીવાડી વિભાગની તાકીદ

સુરેન્દ્રનગર જિલ્લામાં ખરીફ સીઝનનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ખેડૂતો બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની મોટા પાયે ખરીદી કરી રહ્યા છે. આ સમયે ખેડૂતો છેતરપિંડીનો ભોગ ન બને તે માટે નાયબ ખેતી નિયામક દ્વારા ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

ખેડૂતોએ હંમેશા અધિકૃત લાયસન્સ ધરાવતા વિક્રેતા પાસેથી જ કૃષિ ઇનપુટ્સની ખરીદી કરવી જોઈએ અને આગ્રહ રાખીને લાયસન્સ નંબર અને સહીવાળું ‘પાકું બિલ’ મેળવવું જોઈએ.

ખરીદી કરતી વખતે બિલમાં ઉત્પાદકનું નામ, લોટ નંબર અને એક્સપાયરી ડેટ (Expiry Date) જેવી વિગતો તપાસવી અત્યંત જરૂરી છે. ખાસ કરીને બીટી કપાસના ભાવ સરકાર દ્વારા નિર્ધારિત હોય છે, જો કોઈ વેપારી વધુ ભાવ વસૂલે તો તાત્કાલિક ખેતીવાડી કચેરીને જાણ કરવી.

ખાતર ખરીદતી વખતે થેલી પર ‘ફર્ટીલાઇઝર’ કે ‘ઓર્ગેનીક ફર્ટીલાઈઝર’ જેવા શબ્દો વાંચીને જ ખાતરી કરવી. લેભાગુ તત્વો દ્વારા અપાતી લોભામણી સ્કીમો કે સસ્તા બિયારણની લાલચમાં આવીને બિલ વગર ખરીદી કરવી હિતાવહ નથી.

જો ખેતીમાં ઉપયોગ કર્યા બાદ પાકમાં કોઈ સમસ્યા જણાય, તો ખેડૂતો જિલ્લા કક્ષાની ફરિયાદ સમિતિનો સંપર્ક કરી શકે છે.

નિષ્ણાતોની ટીમ સ્થળ પર આવી તપાસ કરી અહેવાલ તૈયાર કરશે, જે ભવિષ્યમાં કાયદાકીય કાર્યવાહીમાં મદદરૂપ થશે. ખેડૂતોની જાગૃતિ જ તેમને આર્થિક નુકસાનથી બચાવી શકે છે તેમ ખેતીવાડી વિભાગની યાદીમાં જણાવાયું છે.

User 3

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago