Thangadh

થાનમાં વાવાઝોડા સાથે માવઠાનો કહેર: ફેક્ટરીઓના પતરા ઉડ્યા અને વિશાળ વૃક્ષો ધરાશાયી

થાનગઢ પંથકમાં હવામાન વિભાગની આગાહી મુજબ કુદરતી આફત ત્રાટકી છે. 19 માર્ચ 2026 ના રોજ અચાનક વાતાવરણમાં આવેલા પલટાને કારણે થાન શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને કમોસમી વરસાદ વરસ્યો હતો.

આ મિની વાવાઝોડાની તીવ્રતા એટલી વધારે હતી કે અનેક દુકાનો અને સિરામિક ફેક્ટરીઓના પતરાના શેડ હવામાં ઉડી ગયા હતા, જેનાથી ઉદ્યોગકારોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તેજ પવનને કારણે શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો.

થાનના શહેરી વિસ્તારમાં સતાપરા સાહેબના દવાખાના પાસે એક વિશાળ વૃક્ષ ભારે પવનના કારણે મૂળમાંથી ઉખડીને ધરાશાયી થયું હતું. રસ્તા પર વૃક્ષ પડવાને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો. સદનસીબે, આ ઘટના સમયે કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. વાવાઝોડાને કારણે રસ્તા પરના સાઈન બોર્ડ અને હોર્ડિંગ્સ પણ જમીનદોસ્ત થયા હતા.

માવઠાના કારણે ખેતી અને ઉદ્યોગ બંનેને માઠી અસર પહોંચી છે. વરસાદી ઝાપટાં અને ફૂંકાયેલા પવનથી જનજીવન થોડા સમય માટે થંભી ગયું હતું. સ્થાનિક તંત્ર દ્વારા ધરાશાયી થયેલા વૃક્ષોને હટાવવાની અને વીજ લાઈનો રિપેર કરવાની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અચાનક આવેલા આ વાવાઝોડાએ સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ઉભો કર્યો છે. હાલમાં પણ આકાશમાં વાદળછાયું વાતાવરણ જળવાયેલું છે, જેને પગલે લોકોમાં વધુ વરસાદ પડવાની ચિંતા જોવા મળી રહી છે.

user 2

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago