સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરના વિકાસમાં વધુ એક છોગું ઉમેરાયું છે. લીંબડી શહેરના બે અત્યંત મહત્વના અને મુખ્ય માર્ગોના નવીનીકરણ માટે રૂ. 11 કરોડના માતબર ખર્ચની દરખાસ્ત મંજૂર થયા બાદ, 19 માર્ચ 2026 ના રોજ ધારાસભ્ય કિરીટસિંહ રાણાના હસ્તે આ પ્રોજેક્ટનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ (R&B) દ્વારા હાથ ધરવામાં આવેલી આ કામગીરી અંતર્ગત લીંબડી નેશનલ હાઈવેથી ઊંટડી પુલ સુધીના માર્ગનું રિસરફેસિંગ તેમજ આધુનિક સુધારણા કરવામાં આવશે. આ ઉપરાંત, જગદીશ આશ્રમથી બાયપાસ સુધીના માર્ગનું પણ સંપૂર્ણ નવીનીકરણ કરવામાં આવશે.
આ પ્રસંગે ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, રોડ રસ્તાઓના આ નવીનીકરણથી શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટશે અને વાહનચાલકોના સમયની બચત થશે. વધુમાં, આ માર્ગો સુધરવાથી સ્થાનિક વેપાર અને રોજગારમાં પણ વૃદ્ધિ થવાની પૂરી સંભાવના છે. તેમણે હાજર રહેલા અધિકારીઓને ખાસ સૂચના આપી હતી કે કામની ગુણવત્તામાં કોઈ બાંધછોડ ન થવી જોઈએ અને નિયત સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ થવી જોઈએ.
ખાતમુહૂર્તના આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ રધુભાઈ પટેલ, પ્રકાશભાઈ સોની, શંકરભાઈ દલવાડી અને દલસુખભાઈ ચૌહાણ સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને સંતો-મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વર્ષો જૂની રસ્તાની સમસ્યાનો ઉકેલ આવતા લીંબડીના શહેરીજનોમાં ભારે હર્ષની લાગણી જોવા મળી રહી છે. આધુનિક રોડ નેટવર્કથી લીંબડી શહેરની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે અને મુસાફરી સુખદ બનશે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…