થાન રેલવે સ્ટેશન નજીક ગત રાત્રિએ એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો, જેમાં વંદે ભારત ટ્રેનની અડફેટે આવતા એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે ગંભીર ઈજાઓના કારણે મહિલાએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો. બનાવની જાણ થતા જ રેલવે પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાની ઓળખ થાન શહેરના રહીશ રતુબેન ભરતભાઈ પાદેવાડિયા (ઉંમર વર્ષ 45) તરીકે થઈ છે. રેલવે પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે અને મૃતકના પરિવારજનોને જાણ કરી છે. આ અકસ્માત આકસ્મિક રીતે ટ્રેક ક્રોસ કરતી વખતે થયો કે અન્ય કોઈ કારણોસર, તે અંગે રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…