થાનના ખારા વિસ્તારમાં વન્યજીવોના શિકારની પ્રવૃત્તિ સામે વન વિભાગે લાલ આંખ કરી છે. થાનના વન વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ કંડોળીયા હનુમાનજી મંદિર અને તેની આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી ગેરકાયદેસર શિકાર થતો હોવાની ફરિયાદો ઉઠી હતી.
આ ગંભીર બાબતને ધ્યાને રાખી તપાસ હાથ ધરતા મંદિરના CCTV ફૂટેજમાં 2 શખ્સો સસલાનો શિકાર કરતા કેદ થયા હતા. મંદિરના સેવાભાવી નાગરિકોએ આ પુરાવા સાથે વન વિભાગને જાણ કરી હતી. જેના આધારે વન વિભાગની ટીમે ત્વરિત કાર્યવાહી કરી ગોપાલભાઈ ભૂપતભાઈ ઝાલા અને વિશાલભાઈ જગદીશભાઈ મકવાણા નામના 2 શખ્સોને ઝડપી પાડ્યા છે.
આ બંને આરોપીઓ વિરુદ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ (Wildlife Protection Act) હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વન વિભાગની આ સક્રિયતાથી શિકારી તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…