થાનના ખારા વિસ્તારમાં વન્યજીવોના શિકારની પ્રવૃત્તિ સામે વન વિભાગે લાલ આંખ કરી છે. થાનના વન વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ કંડોળીયા હનુમાનજી મંદિર અને તેની આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી ગેરકાયદેસર શિકાર થતો હોવાની ફરિયાદો ઉઠી હતી.
આ ગંભીર બાબતને ધ્યાને રાખી તપાસ હાથ ધરતા મંદિરના CCTV ફૂટેજમાં 2 શખ્સો સસલાનો શિકાર કરતા કેદ થયા હતા. મંદિરના સેવાભાવી નાગરિકોએ આ પુરાવા સાથે વન વિભાગને જાણ કરી હતી. જેના આધારે વન વિભાગની ટીમે ત્વરિત કાર્યવાહી કરી ગોપાલભાઈ ભૂપતભાઈ ઝાલા અને વિશાલભાઈ જગદીશભાઈ મકવાણા નામના 2 શખ્સોને ઝડપી પાડ્યા છે.
આ બંને આરોપીઓ વિરુદ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ (Wildlife Protection Act) હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વન વિભાગની આ સક્રિયતાથી શિકારી તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…