થાનના ખારા વિસ્તારમાં વન્યજીવોના શિકારની પ્રવૃત્તિ સામે વન વિભાગે લાલ આંખ કરી છે. થાનના વન વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ કંડોળીયા હનુમાનજી મંદિર અને તેની આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી ગેરકાયદેસર શિકાર થતો હોવાની ફરિયાદો ઉઠી હતી.
આ ગંભીર બાબતને ધ્યાને રાખી તપાસ હાથ ધરતા મંદિરના CCTV ફૂટેજમાં 2 શખ્સો સસલાનો શિકાર કરતા કેદ થયા હતા. મંદિરના સેવાભાવી નાગરિકોએ આ પુરાવા સાથે વન વિભાગને જાણ કરી હતી. જેના આધારે વન વિભાગની ટીમે ત્વરિત કાર્યવાહી કરી ગોપાલભાઈ ભૂપતભાઈ ઝાલા અને વિશાલભાઈ જગદીશભાઈ મકવાણા નામના 2 શખ્સોને ઝડપી પાડ્યા છે.
આ બંને આરોપીઓ વિરુદ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ (Wildlife Protection Act) હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વન વિભાગની આ સક્રિયતાથી શિકારી તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…