સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચચાણા ગામે એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે, જેમાં 14 વર્ષના કિશોરનું તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે.
મળતી માહિતી મુજબ, જયકિશન મનજીભાઈ મકવાણા નામનો કિશોર ગરમીથી રાહત મેળવવા માટે ગામના તળાવમાં નાહવા ગયો હતો. તેને તરતા આવડતું ન હોવા છતાં તે પાણીમાં ઉતર્યો હતો અને જોતજોતામાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
આ ઘટનાની જાણ થતા જ ગામના સરપંચ અને સ્થાનિક તરવૈયાઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ભારે જહેમત બાદ કિશોરના મૃતદેહને બહાર કાઢ્યો હતો.
બાળકના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા પરિવારમાં કલ્પાંત મચી ગયો છે અને સમગ્ર ચચાણા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસને જાણ કરવામાં આવતા ચુડા PSI સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લીંબડીની આર.આર. સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી નર્મદા કેનાલ અને તળાવોમાં ડૂબી જવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે, ત્યારે આ વધુ એક ઘટનાએ તંત્ર અને વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો રજૂ કર્યો છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…