Chuda

ચુડાના ચચાણામાં તળાવમાં નાહવા પડેલા 14 વર્ષના કિશોરનું ડૂબી જવાથી કરુણ મોત

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચચાણા ગામે એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે, જેમાં 14 વર્ષના કિશોરનું તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે.

મળતી માહિતી મુજબ, જયકિશન મનજીભાઈ મકવાણા નામનો કિશોર ગરમીથી રાહત મેળવવા માટે ગામના તળાવમાં નાહવા ગયો હતો. તેને તરતા આવડતું ન હોવા છતાં તે પાણીમાં ઉતર્યો હતો અને જોતજોતામાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

આ ઘટનાની જાણ થતા જ ગામના સરપંચ અને સ્થાનિક તરવૈયાઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ભારે જહેમત બાદ કિશોરના મૃતદેહને બહાર કાઢ્યો હતો.

બાળકના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા પરિવારમાં કલ્પાંત મચી ગયો છે અને સમગ્ર ચચાણા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસને જાણ કરવામાં આવતા ચુડા PSI સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લીંબડીની આર.આર. સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી નર્મદા કેનાલ અને તળાવોમાં ડૂબી જવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે, ત્યારે આ વધુ એક ઘટનાએ તંત્ર અને વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો રજૂ કર્યો છે.

user 2

Recent Posts

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…

2 weeks ago

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…

2 weeks ago

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…

2 weeks ago

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…

2 weeks ago

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…

2 weeks ago

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…

2 weeks ago