સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચચાણા ગામે એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે, જેમાં 14 વર્ષના કિશોરનું તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે.
મળતી માહિતી મુજબ, જયકિશન મનજીભાઈ મકવાણા નામનો કિશોર ગરમીથી રાહત મેળવવા માટે ગામના તળાવમાં નાહવા ગયો હતો. તેને તરતા આવડતું ન હોવા છતાં તે પાણીમાં ઉતર્યો હતો અને જોતજોતામાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
આ ઘટનાની જાણ થતા જ ગામના સરપંચ અને સ્થાનિક તરવૈયાઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ભારે જહેમત બાદ કિશોરના મૃતદેહને બહાર કાઢ્યો હતો.
બાળકના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા પરિવારમાં કલ્પાંત મચી ગયો છે અને સમગ્ર ચચાણા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસને જાણ કરવામાં આવતા ચુડા PSI સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લીંબડીની આર.આર. સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી નર્મદા કેનાલ અને તળાવોમાં ડૂબી જવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે, ત્યારે આ વધુ એક ઘટનાએ તંત્ર અને વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો રજૂ કર્યો છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…