Chotila

ચોટીલા હાઈવે પર ત્રિપલ અકસ્માતમાં અમદાવાદના પરિવારના 2 સભ્યોના મોત

રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ચોટીલા પાસે એક હૃદયદ્રાવક ત્રિપલ અકસ્માત સર્જાયો છે. ચોટીલાથી થોડે દૂર જોલી એન્જોય વોટર પાર્ક પાસે ઉભેલા ટ્રક પાછળ કાર અને પીકઅપ વાન ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં અમદાવાદના ઠાકોર પરિવારના બે સભ્યોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના શહેરી વિસ્તારમાં રહેતો ઠાકોર પરિવાર ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે કાળ આંબી ગયો હતો. મૃતકોમાં 28 વર્ષીય સોનાલીબેન હર્ષદભાઈ ઠાકોર અને 16 વર્ષીય આશિષ રણજીતભાઈ ઠાકોરનો સમાવેશ થાય છે. અકસ્માત એટલો વિકરાળ હતો કે ગાડીના ફુરચા ઉડી ગયા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

આ અકસ્માતમાં અન્ય ત્રણ વ્યક્તિઓ કલ્પેશભાઈ ઠાકોર (29), હર્ષદભાઈ ઠાકોર (30) અને 3 વર્ષીય માસૂમ બાળક દિવ્યાંશને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહોને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. હાઈવે પર ઉભેલા ટ્રકને કારણે સર્જાયેલા આ અકસ્માતે ફરી એકવાર વાહનચાલકોની સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે.

user 2

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago