રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ચોટીલા પાસે એક હૃદયદ્રાવક ત્રિપલ અકસ્માત સર્જાયો છે. ચોટીલાથી થોડે દૂર જોલી એન્જોય વોટર પાર્ક પાસે ઉભેલા ટ્રક પાછળ કાર અને પીકઅપ વાન ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં અમદાવાદના ઠાકોર પરિવારના બે સભ્યોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના શહેરી વિસ્તારમાં રહેતો ઠાકોર પરિવાર ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે કાળ આંબી ગયો હતો. મૃતકોમાં 28 વર્ષીય સોનાલીબેન હર્ષદભાઈ ઠાકોર અને 16 વર્ષીય આશિષ રણજીતભાઈ ઠાકોરનો સમાવેશ થાય છે. અકસ્માત એટલો વિકરાળ હતો કે ગાડીના ફુરચા ઉડી ગયા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
આ અકસ્માતમાં અન્ય ત્રણ વ્યક્તિઓ કલ્પેશભાઈ ઠાકોર (29), હર્ષદભાઈ ઠાકોર (30) અને 3 વર્ષીય માસૂમ બાળક દિવ્યાંશને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહોને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. હાઈવે પર ઉભેલા ટ્રકને કારણે સર્જાયેલા આ અકસ્માતે ફરી એકવાર વાહનચાલકોની સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…