Surendranagar

સુરેન્દ્રનગરમાં PGVCLનો સપાટો: વીજબિલ ન ભરનારા 188 ગ્રાહકોના કનેક્શન કાપી નાખ્યા, કરોડોની વસૂલાત

સુરેન્દ્રનગર જિલ્લામાં PGVCL વિભાગ દ્વારા બાકી વીજબિલની વસૂલાત માટે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વિભાગ દ્વારા કુલ 245 ટીમો બનાવીને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઉઘરાણીની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

આ કાર્યવાહી દરમિયાન જે ગ્રાહકોએ લાંબા સમયથી બિલ ભરપાઈ કર્યા નથી તેમની સામે લાલ આંખ કરવામાં આવી છે. તપાસ દરમિયાન 188 જેટલા વીજ ધારકોએ બિલ ભરવાનો ઈનકાર કરતા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે તેમના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. આ 188 ગ્રાહકો પાસેથી અંદાજે 22.15 લાખ રૂપિયાની વસૂલાત બાકી હતી.

બીજી તરફ, PGVCLની આક્રમક કામગીરીને પગલે મોટી સફળતા પણ મળી છે. 245 ટીમો દ્વારા હાથ ધરાયેલા અભિયાનમાં 3,870 ગ્રાહકો પાસેથી કુલ 1.10 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ લોસનું પ્રમાણ ઊંચું હોવાથી તેને ઘટાડવા માટે તંત્ર દ્વારા આ આકરું વલણ અપનાવવામાં આવ્યું છે. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેશે, તેથી પીજીવીસીએલ વિભાગ દ્વારા તમામ ગ્રાહકોને વહેલી તકે પોતાના બાકી વીજબિલ ભરી દેવા માટે અપીલ કરવામાં આવી છે.

user 2

Recent Posts

કોઠારીયા ધામમાં ભાગવત કથાને લઇ પ્રેસ કોન્ફરન્સ

વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…

2 days ago

સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…

2 days ago

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…

2 days ago

સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ

સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…

2 days ago

પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ

ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…

2 days ago

સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…

2 days ago