Wadhwan

ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં મેમકા જિલ્લા પંચાયત સીટના કાર્યકરોની મહત્વની બેઠક યોજાઈ

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ જીતનો પાયો નાખવા કમર કસી છે. વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ મેમકા જિલ્લા પંચાયત સીટના કાર્યકરો સાથે એક મહત્વપૂર્ણ સંગઠનાત્મક બેઠક યોજી હતી. આ બેઠકમાં આગામી ચૂંટણી માટે રણનીતિ ઘડવામાં આવી હતી અને સંગઠનની તાકાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.

ધારાસભ્યએ કાર્યકરોને માર્ગદર્શન આપતા જણાવ્યું કે, ભાજપની ખરી શક્તિ તેના પાયાના કાર્યકર્તાઓ છે. તેમણે દરેક કાર્યકરને સરકારની જનકલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા અને લોકસંપર્ક વધારવા હાકલ કરી હતી. આ બેઠકમાં જિલ્લા ભાજપ મહામંત્રી નરેશભાઈ પટેલ, ઉપપ્રમુખ રામભાઈ ચાવડા અને વઢવાણ ગ્રામ્ય મંડલ પ્રમુખ ઘનશ્યામભાઈ વસવેલીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. 2026ની ચૂંટણી પૂર્વે આ બેઠકથી કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સૌએ ભાજપને જંગી બહુમતીથી જીતાડવાનો સંકલ્પ લીધો છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

5 days ago