સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ જીતનો પાયો નાખવા કમર કસી છે. વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ મેમકા જિલ્લા પંચાયત સીટના કાર્યકરો સાથે એક મહત્વપૂર્ણ સંગઠનાત્મક બેઠક યોજી હતી. આ બેઠકમાં આગામી ચૂંટણી માટે રણનીતિ ઘડવામાં આવી હતી અને સંગઠનની તાકાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.
ધારાસભ્યએ કાર્યકરોને માર્ગદર્શન આપતા જણાવ્યું કે, ભાજપની ખરી શક્તિ તેના પાયાના કાર્યકર્તાઓ છે. તેમણે દરેક કાર્યકરને સરકારની જનકલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા અને લોકસંપર્ક વધારવા હાકલ કરી હતી. આ બેઠકમાં જિલ્લા ભાજપ મહામંત્રી નરેશભાઈ પટેલ, ઉપપ્રમુખ રામભાઈ ચાવડા અને વઢવાણ ગ્રામ્ય મંડલ પ્રમુખ ઘનશ્યામભાઈ વસવેલીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. 2026ની ચૂંટણી પૂર્વે આ બેઠકથી કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સૌએ ભાજપને જંગી બહુમતીથી જીતાડવાનો સંકલ્પ લીધો છે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…