સુરેન્દ્રનગરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ યોજાનારી પ્રથમ ઐતિહાસિક ચૂંટણી માટે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા તાજેતરમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે, જેમાં શહેરના 13 વોર્ડની કુલ 52 બેઠકો માટે ટિકિટ મેળવવા કાર્યકરોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો.
ભાજપના નિરીક્ષકો સમક્ષ 450 થી વધુ ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે, જે મનપાના પ્રથમ બોર્ડમાં સ્થાન મેળવવા માટે પક્ષમાં રહેલી ભારે સ્પર્ધા દર્શાવે છે. ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે સેન્સ પ્રક્રિયા દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓ અને શિક્ષિત યુવા ચહેરાઓનો જમાવડો જોવા મળ્યો હતો.
સુરેન્દ્રનગરના રાજકીય ઈતિહાસ પર નજર કરીએ તો છેલ્લા 31 વર્ષમાં 5 વખત ભાજપે સત્તા સંભાળી છે, જ્યારે માત્ર 1 વાર કોંગ્રેસનું બોર્ડ બન્યું છે.
જોકે, ભૂતકાળમાં 1997નો બળવો અને 2007માં ‘નો-રિપીટ’ થિયરીને કારણે ભાજપને સત્તા ગુમાવવી પડી હતી. આ વખતે પ્રથમ મનપાની ચૂંટણી હોવાથી પ્રદેશ નેતૃત્વ માટે 450 દાવેદારોમાંથી 52 સક્ષમ ઉમેદવારોની પસંદગી કરવી એ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. પક્ષના શિસ્તબદ્ધ કાર્યકરો, જનતામાં લોકપ્રિયતા અને જ્ઞાતિગત સમીકરણોને ધ્યાને રાખીને આખરી યાદી તૈયાર કરવામાં આવશે. પ્રથમ બોર્ડ કબજે કરવા માટે ભાજપ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતું નથી અને મજબૂત પેનલ ઉતારવા માટે વ્યૂહરચના ઘડી રહ્યું છે.
વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…
સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…
ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…
ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…