સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત યોજાનારી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ચૂંટણી પંચ દ્વારા આગામી 26 એપ્રિલના રોજ મતદાનની તારીખ જાહેર કરવામાં આવતા જ તમામ રાજકીય પક્ષોએ ઉમેદવાર પસંદગીની કવાયત શરૂ કરી દીધી છે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડની 52 બેઠકો માટે ભાજપ દ્વારા ‘કમલમ’ ખાતે બે દિવસીય સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આ પ્રક્રિયામાં પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, ગાંધીનગરના પૂર્વ મેયર મીનાબેન પટેલ અને મહેશભાઈ મોદી નિરીક્ષક તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
પ્રથમ દિવસે જ 250 થી વધુ ઈચ્છુક દાવેદારોએ ચૂંટણી લડવાની તૈયારી બતાવી નિરીક્ષકો સમક્ષ રજૂઆત કરી હતી. ટૂંકા સમયગાળાને જોતા આગામી 1 સપ્તાહમાં જ ભાજપ દ્વારા સત્તાવાર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ટિકિટ મેળવવા માટે લોબિંગ પણ શરૂ થઈ ગયું છે.
વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…
સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…
ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…
ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…